________________
યથાવિહિત પાલન કરે છે. નાના-નાના વિનોને સત્ત્વથી જીતવા પ્રયત્નશીલ બને છે, ને એ રીતે એવે વખતે પણ ક્યારેક યથાવિહિત પાલન કરે છે. ક્યારેક પાછો અતિચારલાગી જાય છે. છતાં આમ પ્રવૃત્તિ ચાલુ રહેવાથી ક્રમશઃ વિજ્ઞજ્ય આશય કેળવાતો જાય છે. પછી નાનામાંથી મોટા વિપ્ન આવે તો પણ યથાવિહિત પાલન કરી શકે છે. એટલે વિધ્વજય આશય કેળવાયો કહેવાય. તેથી હવે વિઘ્નો બાધક બની શક્તા નથી. તેથી અનુષ્ઠાન નિબંધક થાય છે. અર્થાત્ હવે સ્થિસ્યોગ આવ્યો. આમતો પુણ્યોદયવધવાથી વિપ્ન આવે જ નહીં એવું પણ બને છે. છતાં, પૂર્વકર્મવશાતું વિદન આવે તો, અત્યારસુધી સ્થિરયોગ આવ્યો ન હતો ત્યાં સુધી વિબો જે બાધક રૂપ થતા હતા... એના કારણે હજુ પણ ( સ્થિરયોગની પ્રારંભિક અવસ્થામાં પણ) વિMઉપસ્થિત થવા પર એ વિન” રૂપે ભાસે છે ને તેથી ક્યાંક એ બાધાન પહોંચાડી દે.... એવી ચિન્તા ઊભી થાય છે... પણ સત્ત્વના-વિધ્વજયઆશયના પ્રભાવે એ ચિન્તાને દૂર કરી અનુષ્ઠાન તો યથાવિહિત જ કરે છે. અર્થાત્ સાધક બાધકચિન્તાનો પ્રતિઘાત કરે છે ને તેથી અનુષ્ઠાન નિબંધક થાય છે. આ રીતે અભ્યાસ આગળ ચાલુ રહેતાં, ‘અનેક વિઘ્ન આવ્યા, પણ કશું કરી ન શક્યા...’ આવો જાત અનુભવ થતાં, હવે ( સ્થિરયોગની અભ્યસ્તદશામાં-ઉત્તરાવસ્થામાં) વિદન ઉપસ્થિત થવા પર પણ એને ‘વિન રૂપે જોવાનું જ થતું નથી. ને તેથી એની કોઈ જ ચિન્તા પણ પેદા થતી નથી, આ કહેવાય - ‘શુદ્ધિવિશેષથી બાધક ચિન્તાનું અનુત્થાન...” અને તેથી અનુષ્ઠાન ચિન્તારહિત પણે નિબંધક થાય છે. આમ, પહેલાં બાધક ચિન્તાના પ્રતિઘાતથીને પછી ચિન્તાના જ અનુત્યાનથી... આમ બન્ને રીતે નિબંધકપણે થતું અનુષ્ઠાન એ સ્થિરયોગ કહેવાય છે.
આ સ્થિરયોગમાં થતું અનુષ્ઠાન અને નિર્વિન અવસ્થામાં યથાવિહિત થતું પ્રવૃત્તિયોગનું અનુષ્ઠાન આ બન્ને દેખાવે સરખા હોય છે. બે કાષ્ટસ્તંભ છે. એકને જમીનમાં ખાડો કરી ફીટ કરેલો છે. બીજાને માત્ર સામાન્ય આધાર આપી-બેલેન્સ કરી-ઊભો રાખ્યો છે. જ્યાં સુધી પવનનો ઝપાટો કે એવું અન્ય કશું અડ્યું નથી, ત્યાં સુધી બન્ને એક સરખા સીધા ઊભેલા જણાશે... છતાં, જેને સ્થિર કરવામાં નથી આવ્યો એના માટે, એને કશું અડી ન જાય ને એ પડી ન જાય એની ચિન્તા રહ્યા કરશે એવી પરિસ્થિતિ ટાળવી ઇષ્ટ રહેશે. સ્થિરસ્થંભમાટે એવી કશી આવશ્યકતા નથી. બસ આવો જ તફાવત પ્રવૃત્તિયોગને સ્થિરયોગ વચ્ચે જાણવો. (92)
યોગવિંશિકા....પ-૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org