________________
વૃત્તિઅર્થ: પ્રવૃત્તિની જેમ જ સર્વત્ર ઉપશમપ્રધાન થતું સ્થાનાદિપાલન જો એ સ્થાનાદિના બાધકની ચિન્તાથી રહિતપણે થાય તો એ સ્થિરતાયોગ જાણવો. પ્રવૃત્તિયોગ અને સ્થિરયોગનો આ તફાવત છે. પ્રવૃત્તિરૂપ સ્થાનાદિયોગનું સેવન સાતિચાર હોવાથી બાધક ચિન્તાસહિત હોય છે, જ્યારે સ્થિરરૂપ સેવન અભ્યાસની પટુતાના પ્રભાવે નિબંધક જ ઉત્પન્ન થતું – તજાતીય હોવાથી–બાધક ચિન્તાનો પ્રતિઘાત થવાથી કે વિશેષ પ્રકારની શુદ્ધિવશાત્ બાધક ચિન્તાનું ઉત્થાન જ થતું ન હોવાથી - ચિન્તારહિત હોય છે.
વિવેચનઃ (૧) નિર્વાધમેવ - જઘન્ય-મધ્યમને ઉત્કૃષ્ટ આ ત્રણ વિધ્યો એ જ અહીં બાધક તરીકે અભિપ્રેત છે. આગળ વિધ્વજય આશયમાં આપણે જોઈ ગયા કે અભ્યાસ વધતાં વધતાં એવી અવસ્થા આવે છે - ચિત્ત એવું કેળવાય છે કે – વિદનને ગણકારે જ નહીં, ને અનુષ્ઠાનને અખંડિત આચરે જ. અર્થાત્ પૂર્વે જે પરિસ્થિતિઓ વિનરૂપ બનતી હતી તે હવે વિનરૂપ બનતી નથી, એટલે કે એમાંથી વિદ્ધત્વ ચાલ્યું ગયું હોય છે. આવી રીતે વિપ્નને ગણકાર્યા વિના જે અનુષ્ઠાન થાય એને નિબંધક જ થઈ રહ્યું છે એમ કહેવાય છે.
અહીં આવું તાત્પર્ય જાણવું. પ્રીતિપૂર્વક યોગીકથાશ્રવણથી પોતાને પણ યોગ સાધવાની ઇચ્છા પ્રગટ થાય છે, જે સબળ બનતાં પ્રણિધાન આશય કેળવાય છે. છતાં, જ્યાં સુધી ઓછી-વત્તી પણ ક્રિયા કરવામાં નથી આવતી ત્યાં સુધી યોગ’ નથી કહેવાતો. પછી જ્યારથી યથાઉલ્લાસ ક્રિયા શરુ થાય છે ત્યારથી ઇચ્છયોગ શરુ થાય છે. પણ પછી ઉત્તરોત્તર આ ક્રિયા કરતા રહેવાથી તથા પ્રણિધાનને દઢ કરતા રહેવાથી (વિપરિણામિની ઇચ્છાને પ્રબળકરતા રહેવાથી) જીવપ્રવૃત્તિઆશયકેળવવા તરફ તેમજ ઈચ્છાયોગમાંથી પ્રવૃત્તિયોગ તરફ આગળ વધતો રહે છે. એમ કરતાં કરતાં પ્રવૃત્તિઆશય કેળવાય ને તેથી યત્નાતિશય આવે... દરેક વખતે આ યત્નાતિશયથી પ્રમાદરહિતપણે યથાશક્તિ પ્રવૃત્ત થાય તો શાસ્ત્રયોગ આવે છે. પછી અંગસાકલ્ય ભળતાં (યનાતિશય વીર્યાતિશય તો ભળેલો જ છે) એ સર્વત્ર યથાવિહિત થવા માંડે એટલે પ્રવૃત્તિયોગ આવે છે. પણ હજુ વિદનજય આશય કેળવાયેલો નથી. એટલે વિઘ્ન ઉપસ્થિત થવા પર યથાવિહિતપણામાં કંઈક ગરબડ થવાની શક્યતા રહે છે. માટે પ્રવૃત્તિયોગ સાતિચાર કહેવાય છે. છતાં, નિર્વિઘ્નદશામાં
સ્થિરયોગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org