SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જાય એ સોપક્રમ (=ઉપક્રમને યોગ્ય) કહેવાય છે. ને પોતાની અસર દેખાડ્યા વિના જે ન જ નિર્જરે એ નિરુપક્રમકર્મ કહેવાય છે. આ બન્ને પ્રકારનું કર્મ વિવક્ષિત ચૈત્યવન્દનાદિના અનુષ્ઠાનની પૂર્વે અજ્ઞાનાદિવશાત્ બાંધેલું હોય છે. મુખ્યતયા એ દર્શનમોહનીય કે ચારિત્રમોહનીય રૂપે હોય છે. ચૈત્યવન્દનાદિકાળે આવું કર્મ આત્મા પર વિદ્યમાન હોય છે (સત્તામાં હોય છે) પણ ઉદયમાં હોતું નથી. (કારણકે જો ઉદયમાં હોય તો એ મોક્ષપથને પ્રતિકૂળ એવી ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ પ્રવર્તાવી ચૈત્યવન્દનાદિ સાધના થવા જ ન દે.) ચૈત્યવન્દનાદિમાં સંકળાયેલા પ્રણિધાનાદિ આરાયો અને સ્થાનાદિયોગની ઇચ્છા વગેરે શુભભાવો પણ આ કર્મ માટે ઉપક્રમનું નિમિત્ત બની શકે છે. એટલે જો એ સત્તાગત કર્મ સોપક્રમ હોય તો તો એને ઉપક્રમ લાગી જવાથી ભવિષ્યમાં પણ, મોક્ષમાર્ગને પ્રતિકૂળ એવી ચિત્તવૃત્તિઓ પ્રવર્તાવી જીવને માર્ગભ્રષ્ટ કરવા સ્વરૂપ સ્વકાર્ય કરી શકતું નથી. માટે એવા કર્મને અહીં અપાય તરીકે કહ્યું નથી. પણ જો સત્તાગત આ કર્મ નિરુપક્રમ હોય, તો આ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પણ એને પ્રભાવહીન કરી શકતા નથી. અને તેથી ભવિષ્યમાં જ્યારે એ ઉદયમાં આવશે ત્યારે જીવને માર્ગભ્રષ્ટ કરશે જ. માટે આવું નિરુપક્રમ કર્મ એ અપાય કહેવાય છે. વૃત્તિમાં નિરુપમમોક્ષપથ... આ રીતે પાઠ મુદ્રિત થયો છે. અર્થાત્ નિરુપમ શબ્દને પણ સમાસમાં સમાવિષ્ટ કર્યો છે. પણ એના સ્થાને નિરુપમ એવો અસમસ્ત શબ્દ હોવો વધુ ઉચિત ભાસે છે, કારણકે એ, અસમસ્ત એવા ર્મ નું વિશેષણ છે. છતાં જો એને સમસ્ત જ માનવો હોય તો નિરુપમ = તલ્ મોક્ષપથપ્રતિભૂતચિત્તવૃત્તિષ્ઠાળ = આ રીતે કારણનું વિશેષણ બનાવી કર્મધારય સમાસ કરવો. तथा च सापायार्थालम्बनयोगवतः कदाचित्फलविलम्बसम्भवेऽपि निरपायतद्वतोऽविलम्बेन फलोत्पत्तौ न व्यभिचार इति प्रायोग्रहणार्थ: । વૃત્તિઅર્થ : તથા 7 = આમ યોગ સાપાય અને નિરપાય એમ બે પ્રકારે છે. એટલે, સાપાય અર્થાલમ્બનયોગવાળા જીવને ક્યારેક ફળવિલમ્બ સંભવતો હોવા છતાં પણ નિરપાય તદ્વાનને = નિરપાય અર્થાલંબનયોગવાળા જીવને વિના વિલંબે ફળ પ્રાપ્ત થવામાં કોઇ વ્યભિચાર (=બાધક) નથી. મૂળમાં ‘પ્રાયઃ’ શબ્દનો જે ઉલ્લેખ કરાયો છે તેનો આ પ્રમાણે અર્થ જાણવો. 126 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા....૧૦-૧૧ www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy