SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચનઃ ‘પરિશુદ્ધ પદજ્ઞાન પ્રાયઃ કરીને અભીસિતફળ સંપાદક બને જ છે આવું જ કહ્યું છે એમાં પ્રાયઃ કરીને એવું શા માટે કહ્યું? એ કારણ જણાવવા પ્રસ્તુત વર્ણન છે. અહીં ટીકામાં ચિત્તવૃદ્ધિ એવો જે શબ્દ છે એના સ્થાને ચિત્તવૃત્તિ એવો શબ્દ વધારે ઉચિત ભાસે છે. કારણકે ‘ચિત્તવૃદ્ધિ એવો શબ્દ લઇએ તો “મોક્ષપથને પ્રતિકૂળ એવા ચિત્તની વૃદ્ધિ...' આવો અર્થ કરવો પડે છે. એમાં, પ્રશ્ન એ થાય કે ચિત્તમાં મોક્ષપથની પ્રતિકૂળતા શું? વસ્તુતઃ ચિત્ત પોતે મોક્ષપથને પ્રતિકૂળ પણ નથી કે અનુકૂળ પણ નથી. પણ એની વૃત્તિઓ એવી છે. વળી ચિત્તની વૃદ્ધિ પણ શું? વૃદ્ધિ પણ અનુકૂળ કે પ્રતિકૂળ વૃત્તિઓની સંભવે છે, ચિત્તની નહીં. તથા યોગબિન્દુની ૩૭૩મી ગાથાની વૃત્તિમાં મોક્ષપથપ્રતિકૂર્તાવિત્તવૃત્તિદેતુ: એવો જ પાઠ છે. ત્યાં ચિત્તવૃદ્ધિ શબ્દ નથી તેથી ચિત્તવૃત્તિ એવો શબ્દ વધારે યોગ્ય લાગે છે.* અને તેથી એવો અર્થ મળે કે - મોક્ષમાર્ગને પ્રતિકૂળ હોય એવી ચિત્તવૃત્તિઓ. આવી ચિત્તવૃત્તિનું કારણ કોઈ હોય તો એ પૂર્વકાળબદ્ધ તથાવિધ કર્મ છે. આ કર્મ બે પ્રકારે હોય છે. સોપકમ અને નિરુપમ.... તથાવિધ નિમિત્ત મળવાથી, પોતાની અસર દેખાડ્યા વિના જે કર્મ ખસી *ચિત્તમાં મોક્ષપદની પ્રતિકૂળતા શું? પ્રતિકૂળચિત્તની વૃદ્ધિ શું? આનો અને યોગબિન્દુની વૃત્તિનો વિચાર કરવામાં આવે, તો અહીં લહિયા વગેરે કોઇકની ભૂલથી ચિત્તવૃત્તિ’ ના સ્થાને ચિત્તવૃદ્ધિ' શબ્દ આવી ગયો છે એ સમજાયા વગર રહે નહીં. આવો કોઈ વિચાર કરવો નહીં. ને “મોક્ષપથને પ્રતિકૂલ એવી ચિત્તવૃત્તિનું કારણ ન કહેતાં ચિત્તવૃદ્ધિનું કારણ કહ્યું છે. તેનો ભાવ એ ભાસે છે કે... વગેરે કહી કોઈ અભૂતપૂર્વ રહસ્યોદ્ઘાટન કરવાનો પ્રયાસ કરવો એ વિદ્વત્તાયા ક્ષતિકર જાણવું. વળી આવા રહસ્યોદ્દઘાટનના પ્રદર્શનમાં પણ તે વિદ્વાને, મોક્ષપથને અનુકૂળ કે પ્રતિકૂળ તરીકે ચિત્તવૃત્તિ જ કહેવી પડી છે, માટે અહીં ‘ચિત્તવૃત્તિ’ શબ્દ જ ઉચિત જાણવો. તથા પ્રતિકૂળ ચિત્તવૃત્તિના કારણ તરીકે આ અપાયભૂત કર્મને યોગબિન્દુમાં સ્પષ્ટ રીતે કહેલ છે જ. સામાન્યથી કોઈ પણ કર્મ ઉદયમાં આવે ત્યારે જ સ્વકાર્ય કરે છે, સત્તામાં હોવા માત્રથી નહીં. એટલે અપાયભૂત આ કર્મ પણ જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યું. ત્યાં સુધી પ્રતિકૂલચિત્તવૃત્તિઓ પ્રવર્તાવી શકતું નથી. એટલે, એ વિદ્વાને અપાયભૂત કર્મ હજુ ઉદયમાં નથી આવ્યું ત્યારે પણ દેશવિરતિધરને સંસારની પ્રવૃત્તિરૂપ, સાતિચાર સર્વવિરતિધરને અતિચારરૂપ અને નિરતિચાર સર્વવિરતિધરને અનાદિકાલીન સંસ્કારરૂપ પ્રતિકૂળ ચિત્તવૃત્તિ હોવી જે જણાવી છે તે અજ્ઞાનનો વિલાસ જાણવો. ‘પ્રતિકૂળચિત્તવૃત્તિ તો માર્ગભ્રષ્ટ કરનાર છે. તો એની વિદ્યમાનતામાં દેશવિરતિધર વગેરે જીવો માર્ગની આરાધનારૂપ ભાવ ચૈત્યવન્દનાદિ કરી જ શી રીતે શકે?” આટલો પણ વિચાર ન આવે એ આશ્ચર્યજનક છે. (પ્રાયોગ્રહણનું પ્રયોજનો (125) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy