________________
‘‘SIક
‘તદ્યોગવત” નો અર્થ ‘ત—ણિધાનવતઃ' કર્યો છે. આમાં આશય એ હોય શકે કે – અહીં, પ્રણિધાન = દઢસંકલ્પ. જેને તેનું પ્રણિધાન = અર્થ અને આલંબનનોદઢ સંકલ્પ ર્યો છે તેને તેના ઉપલક્ષણથી, એ માટેના કંઈક પણ પ્રયત્નવાળો જે બન્યો છે આવો પણ અર્થ લઈ લેવો, કારણકે આવા પ્રયત્નશૂન્ય અર્થ-આલંબનની માત્ર તીવ્રસ્પૃહાવાળા જીવોને તો આગળ ‘ઇતર’ તરીકે કહ્યા છે.) આવા જીવો તોગવાનું = તણિધાનવાનું છે. આવું (કંઇક પણ પ્રયત્નવાળું) પ્રણિધાન એ જ તો યોગ છે. માટે વૃત્તિકારે પણ, પ્રણિધાન’ શબ્દ મૂકીને અર્થ-આલંબનયોગવાળા જીવને જ જણાવ્યો છે, એ જાણવું.
(૪) વિપરીત તુ... અર્થ અને આલંબનયોગવાળાને સૂત્રના પદોનું પરિશુદ્ધજ્ઞાન (ઉપલક્ષણથી મુદ્રાનું જ્ઞાન પણ) પ્રાયઃ = ઘણું કરીને અવિપરીત નીવડે છે. અર્થાત્ જે અભીપ્સિત છે તે પરમફળનું એ સંપાદક બને જ છે. તે પણ એટલા માટે કે અર્ધયોગ અને આલંબનયોગ જ્ઞાનયોગરૂપ હોવાથી ઉપયોગાત્મક હોવાના કારણે તેનાથી સહિત (=અર્ધયોગ-આલંબનયોગથી = જ્ઞાનયોગથી = ઉપયોગથી સહિત) એવું ચૈત્યવન્દન ભાવચેત્યવન્દન રૂપઠરે છે. [પ્રણિધાનાદિ આશયોથી શૂન્ય હોય તે તો તુચ્છ દ્રવ્યક્યિા છે એ પ્રારંભે જ આવી ગયું છે. એટલે, આ તો ભાવચૈત્યવન્દન સ્વરૂપ હોવાથી એમાં પ્રણિધાન વગેરે આશયો હોય જ એ નિશ્ચિત થઈ જાય છે. અને પ્રણિધાન આશય છે એ જ જણાવે છે કે આ ચૈત્યવન્દન (અને સ્થાનાદિયોગો) મોક્ષ-અહિંસા વગેરેના સંકલ્પપૂર્વક છે. એમાં ભૌતિક કોઇ પ્રણિધાન બેસેલું નથી.] ભાવચૈત્યવન્દન અમૃતઅનુષ્ઠાનસ્વરૂપ હોવાથી અવશ્ય નિર્વાણફલક બને છે, એ સ્પષ્ટ છે. અમૃતઅનુષ્ઠાનનું સ્વરૂપ આગળ બતાવવામાં આવશે.
प्रायोग्रहणं सापाययोगवद्व्यावृत्त्यर्थम्। द्विविधो हि योग:- सापायो निरपायश्च, तत्र निरुपक्रम( ?म)मोक्षपथप्रतिकूलचित्तवृद्धि(?वृत्ति)कारणं प्राक्कालार्जितं कर्म अपायः, तत्सहितो योगः सापायः, तद्रहितस्तु निरपाय इति।
વૃત્તિઅર્થ ‘પ્રાયઃ' શબ્દનું ગ્રહણ સાપાયયોગવાળા જીવની બાદબાકી માટે છે. યોગ બે પ્રકારનો છે – સાપાય અને નિરપાય. તેમાં, મોક્ષમાર્ગને પ્રતિકૂળ ચિત્તની વૃદ્ધિનું (ચિત્તવૃત્તિનું) નિરુપમકારણ એવું પૂર્વકાલબદ્ધ કર્મ એ અપાય છે. આવા કર્મવાળો યોગ તે સાપાયયોગને આવા કર્મરહિતનો યોગ એ નિરપાય યોગ. (124)
યોગવિંશિકા...૧૦-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org