________________
વિવેચનઃ અર્થાલંબનયોગવાળા જીવને આ યથાર્થ પઠજ્ઞાન પ્રાયઃ કરીને અવિપરીત = અભીપ્સિત પરમફળ સંપાદક બને જ છે આવું કહ્યું હતું એમાં ‘પ્રાયઃ' શબ્દ, સાપાયયોગવાળા જીવોની બાદબાકી કરવા માટે મૂક્યો છે એમ વૃત્તિકારે જણાવ્યું. આનો સીધો અર્થ આવો થાય છે કે સાપાયયોગવાળાને અપાય આવે અને એ માર્ગભ્રષ્ટ થાય એટલે પરમપદ સ્વરૂપફળ એને મળતું નથી. તેથી એની બાદબાકી કરવા માટે આ પ્રાય શબ્દ મૂક્યો છે.
અલબત્ સાપાય જીવના પણ આ ચૈત્યવન્દનાદિ ભાવચેત્યવન્દનસ્વરૂપ છે. તેથી, યોગાત્મક પણ છે જ... અને તેથી જ એ ચૈત્યવન્દનાદિ જીવને પરમપદ સાથે જોડી આપનાર પણ છે જ. તો પછી એની બાદબાકી કરવી પણ આવશ્યક ન રહેવાથી પ્રાય' શબ્દ નિરર્થક ઠરી જાય. આવું ન થાય એ માટે વૃત્તિકારે અહીં ફળની પ્રાપ્તિ-અપ્રાપ્તિના આધારે નિરૂપણ ન કરતાં ફળની પ્રાપ્તિમાં વિલમ્બઅવિલમ્બના આધારે નિરૂપણ કર્યું છે. સાપાયયોગવાળાને પણ મોક્ષ મળવાનો છે, પણ વિલએ, અવિલમ્બ નહીં. માટે એની બાદબાકી કરવા પ્રાયઃ” શબ્દ છે.
(૧) હવે, અહીં ઉપસંહાર તરીકે તથા ર વગેરે જે વાક્ય કહ્યું છે એમાં રહેલા ચિત્ શબ્દનો વિચાર કરીએ. આવાક્યમાં સાપાયયોગવાળાને કદાચિત ફળવિલંબ સંભવતો હોવા છતાં પણ.... વગેરે કહ્યું છે. અર્થાત્ અહીં સાપાયાયોગીને કદાચિત્ ફળ વિલંબનો સંભવ દર્શાવ્યો છે. આમાં આ કદાચિત્ શબ્દને વ્યાવર્તક તરીકે લેવોકે સ્વરૂપદર્શક તરીકે લેવો? અર્થાત્ સાપાયયોગવાળામાંથી પણ કેટલાકને જ ફળવિલંબ થાય છે અને કેટલાકને ફળવિલંબ થતો નથી... એટલે જેમને ફળવિલંબ થતો નથી... એવા સાપાયયોગીજીવોની વ્યાવૃત્તિ કરવા માટે આ વિસ્ શબ્દ છે. (સાપાયયોગીને ક્યારેક-કોઈકને ફળવિલંબ થાય છે. કોઈકને થતો નથી. એ રીતે અર્થકરવો.) આવો એક વિકલ્પ મળે છે. અને જો વિત્ શબ્દ કોઈ સાપાયયોગીની બાદબાકી કરવા માટે નથી - અર્થાત્ એવ્યાવર્તક નથી. પણ બધાજસાપાયયોગીને ફળવિલંબ થાય જ છે – એવું સ્વરૂપ જ દર્શાવનાર છે અર્થાત્ સ્વરૂપદર્શક છે. આ બીજો વિકલ્પ મળ્યો. એ વખતે અર્થ આ પ્રમાણે જાણવો-સાપાયયોગીને (દરેકને) ક્યારેક ફળપ્રાપ્તિ પૂર્વે ગમે ત્યારે જ્યારે અપાયભૂત કર્મનો ઉદય થાય ત્યારે ફળવિલંબ થાય
જ છે.
ફળવિલંબની સંગતિ
(127)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org