________________
આમાંના પ્રથમ વિકલ્પનો પહેલાં વિચાર કરીએ – આ વિકલ્પની સિદ્ધિ માટે, કેટલાક સાપાયયોગીને પણ ફળવિલંબ થતો નથી એમ સાબિત કરવું પડે. એ માટે અપાયભૂત કર્મોનો સૌ પ્રથમ વિચાર કરીએ. કર્મો ત્રણ પ્રકારના હોય છે. અનિકાચિત, અલ્પનિકાચિત અને ગાઢનિકાચિત. જેઓનું સત્તાગત પ્રતિબન્ધક કર્મ અનિકાચિત છે તેઓ નિરપાયયોગી છે. આવા જીવોને એ અનિકાચિતકર્મનો ઉપક્રમ જેનાથી થઈ જાય એવા સંયોગ-પ્રયત્ન વગેરે સાહજિક હોય છે. અલ્પનિકાચિત કર્મો એ છે જેનો ઉપક્રમ સહજ રીતે થવો શક્ય નથી હોતો પણ ઉપાયસાધ્ય-પ્રયત્નસાધ્ય હોય છે. શ્રાવકપ્રજ્ઞપ્તિ-પંચાલકજી* વગેરેમાં કર્મનો ઉપક્રમ કરવાના સાત ઉપાયો દર્શાવ્યા છે. આ ઉપાયોને ખંતપૂર્વક અજમાવનારો સાધક અલ્પનિકાચિત કર્મનો ઉપક્રમ કરે છે. અને તેથી પછી એને અપાય આવતા નથી.
ગાઢનિકાચિત કર્મો એ છે કે જેનો ભોગવ્યા વિના પ્રાયઃ નાશ થતો નથી. માત્ર ક્યારેક આસન્નભવ્યતા-ભવિતવ્યતાથી, ક્ષપકશ્રેણિથી કે ક્ષાયિકસભ્યત્વની પ્રાપ્તિ માટેની ખંશ્રેણિથી જે દર્શનમોહનીય કે ચારિત્રમોહનીય નાશ પામે.... પણ એ સિવાયતોનાશન જ પામે... ભોગવવું જ પડે. આવુંગાઢ નિકાચિતકર્મએ નિરુપમકર્મ છે. અને તેથી જેને એ સત્તામાં હોય એવા યોગીનો યોગ એ સાપાયયોગ છે.
આમાંથી અલ્પનિકાચિત કર્મની સત્તાવાળા યોગીને પણ જો સાપાયયોગી તરીકે લઇએ, તો જેઓ પ્રયત્નપૂર્વક એ કર્મનો ઉપકમ કરી દે તેઓને અપાય આવે નહીં, તેથી માર્ગભ્રષ્ટતા થાય નહીં અને તેથી ફળપ્રાપ્તિમાં વિલંબ ન થાય. જેઓ એ રીતે કર્મનો ઉપકમ કરવામાં સફળ ન બને તેઓને તો માર્ગભ્રષ્ટતા થવાથી ફળવિલંબ પણ થાય જ. આમ સાપાયયોગીને ફળવિલંબ થવો-ન થવો એ બન્ને વિકલ્પો સંભવિત બનવાથી, જેને વિલંબ ન થાય એવા સાપાયયોગીની વ્યાવૃત્તિ કરવા રૂપે વિત્ શબ્દ વ્યાવર્તક તરીકે સંગત કરે છે. *तम्हा णिच्चसतीए, बहमाणेणं च अहिगयगुणम्मि। पडिवक्खदुगंछाए परिणइआलोयणेणं च ॥ १-३६॥ तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए य। उत्तरगुणसद्धाए य एत्थ सया होइ जइयव्वं ।। १-३७ ।।
પ્રથમ પંચાશકમાં આ ૭ ઉપાયો કહ્યા છે – સદા વ્રતસ્મરણ, વ્રત પર બહુમાન, વ્રતવિરોધી એવા મિથ્યાત્વાદિ પર જુગુપ્સા, ગુણલાભ-દોષનુકશાનની વિચારણા, પ્રભુભક્તિ, સુસાધુસેવા અને અધિકગુણની ઇચ્છા. 128
યોગવિંશિકા.....૧૦-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org