SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા- અસંગાનુષ્ઠાન જિનકલ્પિકાદિ મહાત્માઓને હોય છે, માટે દીર્ધકાળ અવસ્થાનવાળું છે. જ્યારે અનાલંબનયોગ તો ક્ષપકશ્રેણિમાં જ હોય છે, માટે અન્તર્મુહૂર્તકાલીન છે. તો અસંગાનુષ્ઠાન એ જ અનાલંબન યોગ છે એવું શી રીતે કહી શકાય? સમાધાન- આનું એકસમાધાનતો આગળ આવશે કે તાત્ત્વિક અનાલંબનયોગ માત્ર પદ્મણિમાં હોવા છતાં અપ્રમત્તમહાત્માઓનું પ્રભુગુણધ્યાન પણ મુખ્યનિરાલંબનનું પ્રાપક વગેરે હોવાના કારણે ઉપચારથી નિરાલંબન છે જ. એટલે એમ કહી શકાય કે અસંગઅનુષ્ઠાન અનાલંબનયોગસ્વરૂપ છે જ, માત્ર એ ક્યાં તો મુખ્ય અનાલંબનરૂપ હોય ને ક્યાં તો ઉપચરિત અનાલંબનયોગ સ્વરૂપ હોય. અથવા મૂળમાં, તે વરમો દવરૂ ગોળો આવી જે પંક્તિ છે એનો આ અસંગાનુષ્ઠાન ચરમ અનાલંબનયોગરૂપ છે' એવો અર્થ ન કરવો, પણ આ અસંગાનુષ્ઠાન ચરમ અનાલંબનયોગ બને છે (અર્થાત્ અસંગાનુષ્ઠાન જ આગળ વધતાં અનાલંબનયોગ સ્વરૂપે બને છે, પ્રીતિવગેરે અનુષ્ઠાન નહીં) આવો અર્થ કરવો. ને ૧૯ો आलम्बनविधयैवानालम्बनस्वरूपमुपदर्शयन्नाह आलंबणं पि एयं रूवमरूवी य इत्थ परमु त्ति। तग्गुणपरिणइरूवो सुहुमो अणालंबणो नाम ॥१९॥ आलंबणं पि त्ति। आलम्बनमपि 'एतत् = प्राकरणिकबुद्धिसंनिहितं अत्र = योगविचारे 'रूपि-समवसरणस्थजिनरूपतत्प्रतिमादिलक्षणम्, च = पुन: अरूपी परम:सिद्धात्मा इत्येवं द्विविधम्। અવતરણિતાર્થ: આલંબનના પ્રકારોના વર્ણન દ્વારા જ અનાલંબનનું સ્વરૂપ દર્શાવતા ગ્રન્થકાર કહે છે ગાથાર્થ રૂલ્ય = સત્ર = યોગવિચારમાં આ આલંબન પણ બે પ્રકારે કહેવાયું છે. રૂપી અને અરૂપી પરમ પરમાત્મા. તેના ગુણની પરિણતિરૂપ સૂક્ષ્મ અનાલંબન નામનો યોગ છે. અથવા પાઠાન્તરે, તદ્ગણપરિણતિરૂપ સૂક્ષ્મ 2િ38] 238 યોગવિંશિકા...૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy