________________
આલંબનવાળો અનાલંબન નામે યોગ છે.
વૃત્તિઅર્થ 'આ = પ્રાકરણિકોની બુદ્ધિમાં રહેલ આ આલંબન પણ અહીં = યોગની વિચારણામાં સમવસરણમાં રહેલા શ્રીજિન સ્વરૂપકે તેમની પ્રતિમાસ્વરૂપ રૂપી અને પરમ = સિદ્ધાત્મા સ્વરૂપ અરૂપી એમ બે પ્રકારે જાણવું.
વિવેચનઃ (૧) “અસંગાનુષ્ઠાન એ અનાલંબનયોગ બને છે. એવું પૂર્વની ગાથામાં કહ્યું. એમાં અનાલંબનની વાત આવી એટલે પ્રતિયોગિવિધયા આલંબન' પણ બુદ્ધિમાં ઉપસ્થિત થયેલું છે. અર્થાત્ એ, સ્થાનાદિયોગના પ્રતિપાદક પ્રકરણના જ્ઞાતા (=પ્રાકરણિકો)ની બુદ્ધિમાં ઉપસ્થિત થયેલું કહેવાય. માટે એનો એતત્ એવા સર્વનામથી પણ અહીં ઉલ્લેખ ક્યું છે.
(૨) આ આલંબન બે પ્રકારનું છે. રૂપી અને અરૂપી. એમાંથીરૂપી આલંબન એટલેસમવસરણમાં રહેલા શ્રી જિનેશ્વર ભગવાનનું રૂપક, તેમની પ્રતિમા વગેરે સ્વરૂપ જાણવું. “આદિ શબ્દથી અષ્ટપ્રાતિહાર્ય, સમવસરણ, પ્રતિમાનું પરિકર વગેરે પણ રૂપી આલંબન તરીકે જાણવા.
(૩) અરૂપી આલંબન તરીકે સિદ્ધાત્મા જાણવા. અહીં વૃત્તિમાં અરૂપી પરમ = સિદ્ધામા આવો પાઠ છે. માટે પરમ શબ્દનો અર્થ દ્રિતીય લઈ શકાતો નથી.** પર એવો શબ્દ હોય તો દ્વિતીય-બીજું એવો અર્થ મળી શકે. પણ અહીં પરમ: એવો શબ્દ છે. પશ્ચિમ એવા શબ્દના પર્યાયવાચી શબ્દ તરીકે પરમ શબ્દ સામાન્યથી વપરાતો નથી. કદાચ એ રીતે વપરાયો હોય તો પણ પરમ: એમ પુલિંગન આવે પણ પરમં એમ નપુંસકલિંગ આવે. કારણકે આલંબનની વાત ચાલે છે જેનો માનંવને એવો વાચક શબ્દ નપુંસકલિંગમાં છે. એ જ કારણથી અહીં ‘શ્રેષ્ઠ અર્થમાં આ પરમ: શબ્દ છે એવું પણ માની શકાતું નથી, કારણ કે તો પણ શ્રેષ્ઠ આલંબન
*‘સમવસરણમાં રહેલા શ્રી જિનેશ્વરભગવાનનું રૂપ, તેમની પ્રતિમા વગેરે આવો સીધો અર્થ મળી શકે છે ત્યારે એટલે કે સમોવસરણમાં રહેલા જિનનારૂપને બતાવનાર એવી જિનની પ્રતિમા છે, તેનું જ્યારે આલંબન લેવામાં આવે ત્યારે એ રૂપી આલંબન છે વગેરે ક્લિષ્ટ અર્થ કાઢવાની અને પછી સમવસરણમાં રહેલા જિનના રૂપનું આદિ પદથી ગ્રહણ કરવાની જરૂર નથી. તે જાણવું. **એટલે, પરમ અર્થાત્ દ્રિતીય અરૂપી છે - આવો ગાથાર્થ અને - બીજું અરૂપી અર્થાત્ સિદ્ધાત્મા - એવો ટીકાર્થ.. આ બન્ને ગલત જાણવા. પિરમ = સિદ્ધાત્મા)
239)
239.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org