________________
विपर्ययप्रवृत्तौ परेषामेतदनुष्ठाने मिथ्यात्वबुद्धिजननद्वारा तस्य लौकिकमृषावादादतिगुरुत्वाच्च। तथा च विपरीतफलं तेषामेतदनुष्ठानं सम्पन्नम्।
- વૃત્તિઅર્થ અથવા શબ્દ અન્ય દોષનો સંગ્રહ કરવા માટે છે. (અથવા) તે ચૈત્યવન્દન અનુષ્ઠાન મહામૃષાવાદ છે. કારણકે સ્થાન-મૌન અને ધ્યાનવડે આત્માને વોસિરાવું છું.” એવી પ્રતિજ્ઞાપૂર્વક કરાતાચૈત્યવન્દન-કાઉસ્સગ્ગાદિસ્થાનાદિનો ભંગ થયે મૃષાવાદરૂપ બની જાય છે એ સ્પષ્ટ છે. તથા સ્વયં વિધિથી વિપરીતપણે પ્રવર્તવામાં બીજાને પણ આ અનુષ્ઠાનમાં મિથ્થાબુદ્ધિ જાગે છે, અને તેથી એ રીતે એ લૌકિક મૃષાવાદ કરતાં અતિગુરુ છે. આમ તેઓનું આ અનુષ્ઠાન વિપરીતફળ દેનાર
બન્યું.
વિવેચનઃ (૧) અથવા... સ્થાનાદિ પ્રયત્નશૂન્યજીવોનું ચૈત્યવન્દન તદ્દહેતુ અનુષ્ઠાનરૂપ પણ બનતું ન હોવાથી પરંપરાએ પણ અભીષ્ટફળસંપાદક બનતું નથી. અને તેથી એ નિષ્ફળ છે, આ રીતે એક દોષ બતાવ્યો. હવે વિપરીતફળરૂપ બીજો દોષ દર્શાવવાનો અથવા’ શબ્દથી પ્રારંભ કરે છે. અથવા તે ચૈત્યવન્દન અનુષ્ઠાન મહામૃષાવાદરૂપ બને છે (આ બીજો દોષ છે.)
(૨) સ્થાન... તે ચૈત્યવન્દનને મહામૃષાવાદરૂપે સિદ્ધ કરવાનું છે, અર્થાત્ એમાં બે અંશોની સિદ્ધિ કરવાની છે, મૃષાવાદપણાની (મૃષાવાદ–ની) અને એ મૃષાવાદમાં મહત્ત્વની (અતિગુરુપણાની). એમાં પ્રથમ મૃષાવાદ–ની સિદ્ધિ માટે પાન-મૌન... ઇત્યાદિ હેતુ આપ્યો છે. ચૈત્યવન્દન અનુષ્ઠાનમાં કાઉસ્સગ્ન અન્તર્ગત છે. અને કાઉસ્સગ્નમાં હું સ્થાનવડે-મૌનવડે અને ધ્યાનવડે મારા આત્માને વોસિરાવું છું એવી પ્રતિજ્ઞા કરવાની હોય છે. એટલે આવી સ્થાનાદિ જાળવવા દ્વારા આત્માને વોસિરાવવાની પ્રતિજ્ઞા ક્યબાદ, વિપરીત આભોગ કે બેકાળજીના કારણે સ્થાનાદિ જાળવે નહીં, તો મૃષાવાદલાગવો સ્પષ્ટ જ છે. (એમટૈત્યવન્દન કરવા પૂર્વે ખમાસમણું દઈને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવન્દન કરું?” આવો આદેશ મગાય છે. ગુરુ કરેહ’ કહીને અનુજ્ઞા આપે છે. જેનો સાધક ઇચ્છ' કહીને જે સ્વીકાર કરે છે તેને ચૈત્યવન્દન કરવાની એક પ્રકારની પ્રતિજ્ઞા રૂપ સમજી શકાય છે. અને ચૈત્યવન્દન એ તો તે તે ચોક્કસ મુદ્રાઓ અને અલિતાકિદોષમુક્ત સૂત્રોચ્ચારાદિમય અનુષ્ઠાન છે. એટલે જો તેને મુદ્રાદિ જાળવવામાં ન આવે તો ચેત્યવન્દન કરું એમ બોલીને પણ ચિત્યવંદનની વિપરીતકલક્તા)
141
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org