________________
પ્રવૃત્તિ જેવી માત્ર કાયચેષ્ટારૂપ બને છે, કારણકે એમાં માનસઉપયોગ છે નહીં. કાયવાસિત પ્રાય” ના ઉપલક્ષણથી વાગ્વાસિતપ્રાય પણ જાણવું. એટલે આવું ચૈત્યવન્દન અનુષ્ઠાનરૂપ હોવાથી નિષ્ફળ છે એ પ્રમાણે રહસ્યાર્થ જાણવો.
વિવેચનઃ સમ્મર્છાિમ જીવો મન વગરના હોય છે. એટલે એમની કોઇપણ કિયા માત્ર કાયચેષ્ટારૂપ હોય છે ને કોઈ પણ ભાષાપ્રયોગ માત્ર વચનયોગરૂપ હોય છે, ક્યાંય માનસ ઉપયોગ ભળવાની શક્યતા તો હોતી જ નથી. એ જ રીતે અનુષ્ઠાન કરવા છતાં સ્થાનાદિનો લેશ પણ પ્રયત્ન ન થાય... આવું તો જ બને જો એ અનુષ્ઠાન ગતાનુગતિક રીતે શૂન્યમનસ્કપણે થતું હોય. માટે એ ચૈત્યવન્દન માત્ર કાયક્યિારૂપ અને સૂત્રોચ્ચાર માત્ર વાક્રિયારૂપ બની રહેવાથી અનનુષ્ઠાન છે, અને અનનુષ્ઠાન છે, માટે નિષ્ફળ છે.
જેને ફળનું પ્રણિધાન જ નથી, એને તો અર્થ અને આલંબનનો ઉપયોગ જાળવે તો પણ અનુષ્ઠાન જ છે, કારણકે ગતાનુગતિક્તા છે. જેને તીવ્ર પ્રણિધાન હોય એ સ્થાનાદિનો લેશ પણ પ્રયત્ન ન કરે એ સંભવિત નથી. પહેલી-બીજી દષ્ટિ જેવા મન્દ પ્રણિધાનવાળા જીવો ક્યારેક સ્થાનાદિમાં પ્રયત્નતત્પર હોય છે, ક્યારેક નથી હોતા. જ્યારે નથી હોતા ત્યારે એ દષ્ટિની વિદ્યમાનતાના કારણે યોગ્યતારૂપે સફળ હોવા છતાં મુખ્ય ફળપ્રાપ્તિની અપેક્ષાએ નિષ્ફળ કહી શકાય, તેમ છતાં આવા જીવો પણ સૂત્રપ્રદાનને અયોગ્ય નથી, કારણકે ક્યારેક ક્યારેક થતાસ્થાનાદિપ્રયત્નથી જ એ આગળ વધે એવી શક્યતા છે. માત્ર, સ્થાનાદિના લેશ પ્રયત્નની પણ જેઓમાં સંભાવના જણાતી હોય તેવા જીવોમાં પ્રણિધાનાદિનો સર્વથા અભાવ પણ એનાથી જ સૂચિત થઈ જતો હોવાથી તેવા જીવોજ અયોગ્ય છે એ જાણવું, છદ્મસ્થગુરુ સામા જીવમાં પ્રણિધાનાદિ છે કે નહીં એનો નિર્ણય કરી જ શકે એવો નિયમ નથી. જ્યારે સ્થાન અને વર્ણ તો બાહ્ય ક્રિયારૂપ છે, માટે છઘDગોચર છે. માટે અહીં સ્થાનાદિયત્નની વિદ્યમાનતા-અવિદ્યમાનતાના આધારે યોગ્યતા-અયોગ્યતાનું નિરૂપણ છે, એ જાણવું.
અથવા તિ પાન્તરે, તબૈત્યવન્દ્રનાનુષ્ઠાન મહામૃષાવાવ, “શાન-મૌનध्यानैरात्मानं व्युत्सृजामि' (ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि) इति प्रतिज्ञया विहितस्य चैत्यवन्दनकायोत्सर्गादे: स्थानादिभङ्गे मृषावादस्य स्फुटत्वात्, 'स्वयं विधि
140
યોગવિંશિક..૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org