________________
વાસ્તવિક ચૈત્યવન્દન કરવાનું થતું નથી. માટે મૃષાવાદ દોષ સ્પષ્ટ છે.)
(૩) સ્વય.સ્થાનાદિ પ્રયત્નશૂન્ય ચૈત્યવન્ડન માત્ર મૃષાવાદ નથી, મહામૃષાવાદ છે... એની (મહત્ત્વની) સિદ્ધિ કરવા માટે સ્વયં... વગેરે જણાવ્યું છે. પોતે જો વિધિથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરે તો બીજાઓને પણ એ જોઈને ચૈત્યવન્દન આ રીતે જ થતું હશે એવી બુદ્ધિ થાય છે. અર્થાત્ ચૈત્યવન્દનનો જે વિધિ નથી, અવિધિ છે એની વિધિ તરીકે બુદ્ધિ થાય છે. આ મિથ્યાત્વબુદ્ધિ છે. આમ પોતાની વિપરીતપ્રવૃત્તિ ચૈત્યવર્જનાત્મક લોકોત્તર વિષય અંગે મિથ્થાબુદ્ધિ પેદા કરે છે, માટે, લૌકિક વિષય અંગે મિથ્યાભ્રાન્તિ ફેલાવનાર ચાલુ મૃષાવાદ કરતાં એ અતિગુરુ છે. બીજી રીતે કહીએ તો, ચૈત્યવન્દનનો ઇચ્છુક જીવ, બીજા જીવો કરતાં કંઇક પણ ઊંચી ભૂમિકાએ પહોચેલો છે એમ કહી શકાય. એટલે ઊંચી ભૂમિકાવાળા જીવને વિપરીતબુદ્ધિ કરાવનાર હોવાથી સ્થાનાદિશૂન્ય ચૈત્યવન્દન એ મહામૃષાવાદ છે.
ઉપદેશમાળામાં કહ્યું છે. जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अण्णो। वड्ढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो।
(૪) તથા ર... ચૈત્યવન્દન તો સદનુષ્ઠાન છે. એ જીવને મોક્ષમાર્ગ પર કંઇકને કંઇક પ્રગતિ કરાવે છે. પણ સ્થાનાદિ પ્રયત્નશૂન્યજીવને એ મહામૃષાવાદરૂપ બનવાથી ઉપરથી મોક્ષમાર્ગ પર પીછેહઠ કરાવનારું બન્યું. આમ આવા જીવોને એ વિપરીતફળવાળું બને છે એ જાણવું.
પોતાની જે ક્રિયા બીજાઓને ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનો અંગે તુચ્છ અસત્ બુદ્ધિ કરાવે તે ક્યિા ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનના અનાદર-તિરસ્કાર-અવજ્ઞા સ્વરૂપ છે, માટે એ અશુભકર્મબંધના વિશેષકારણભૂત હોવાથી પોતાને માટે વિપરીત ફલક બને છે. તેમજ પરને પણ વિપરીત બુદ્ધિ કરાવનાર હોવાથી પરની અપેક્ષાએ પણ વિપરીતફલક બને છે. વિપરીફલકત્વ આ રીતે પણ અહીં વિચારી શકાય છે એ
જાણવું.
- અહીં એ વાત વિશેષ પ્રકારે જાણવી કે શારીરિક પ્રતિકૂળતા વગેરેને કારણે જેઓ સ્થાનાદિ જાળવી શક્તા નથી. તેઓ પણ પ્રતિજ્ઞાત કરતાં ભિન્ન આચરણ તો
યોગવિંશિકા..૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org