________________
કરે જ છે, છતાં એ સકારણ હોવાથી અપવાદરૂપ બને છે, દોષરૂપનહીં. તથા ગીતાર્થો અપવાદસેવનકાળેએ આપવાદિક આચરણનેબાળજીવોન્સર્ગિકવિધિરૂપેનમાની લે એ માટે પણ પર્યાપ્તકાળજી લેતા હોય છે. એટલે તેઓનું એ આચરણ મિથ્યાત્વબુદ્ધિજનન કરનારુંનરહેવાથી મહામૃષાવાદસ્વરૂપનથી, દોષનથી. અપવાદસેવનારની પૂરેપૂરી કાળજી હોવા છતાં કોઈક જોનાર જીવ આપવાદિક આચરણને ઔત્સર્ગિક વિધિરૂપે સમજી લે તો એમાં એ જોનાર જીવનો દોષ જાણવો. અપવાદસેવકને એ દોષ લાગતો નથી. કારણકે એણે તો પૂરેપૂરી કાળજી રાખી છે. (જેમકે ડૉકટરની બેકાળજીના કારણે દર્દી ન બચે, તો ડૉક્ટર પર નુકશાનીનો દાવો માંડી શકાય છે, પણ ડૉક્ટરની પૂરી કાળજી હોવા છતાં દર્દની અસાધ્યતા વગેરે કારણે દર્દીન બચે તો ડૉક્ટરને કોઈ સજા થતી નથી...)
જેઓ પ્રારંભકાળમાં રહેલા છે તેઓ નવા નવા હોવાથી, વિધિની પરિપૂર્ણ જાણકારી ન હોવાના કારણે ઓછુવતું આચરતા હોય તેઓની પણ આ ન્યૂનતા અજ્ઞાનવશાત્ હોવાથી તેમજ તેઓની પ્રજ્ઞાપનીયતા વિધિ જાણીને તે મુજબ અનુષ્ઠાન કરવું આવા છેવટે અવ્યક્તઅભિપ્રાયને પણ સૂચિત કરતી હોવાથી મહામૃષાવાદ દોષ લાગતો નથી. એમની દરેક વખતે થતી જુદી જુદી રીતની અનભ્યસ્ત ક્લિાઓ પરથી જોનારને પણ લગભગ ખ્યાલ આવી જ જાય છે કે આ નવો નિશાળિયો છે. માટે જોનારાને મિથ્યાત્વબુદ્ધિજનનનું કારણ ન બનવાથી એ મહામૃષાવાદ બનતી નથી.
જેઓ પ્રારંભકાળમાં નથી, હવે જુના થઈ ગયા છે, તેવા જીવો પણ પોતાના ઉલ્લાસ મુજબ સ્થાનાદિ જાળવે, પ્રમાદાદિવશાત્ બાકીની થોડી અવિધિ પણ ભેળવે, તો પણ જો અવિધિનો કદાગ્રહ ન હોવાના કારણે પ્રજ્ઞાપનીયતા હોય, વિધિપક્ષપાત હોય, અવિધિનોરંજ હોય તો તેઓને માટે પણ ચૈત્યવન્દનમહામૃષાવાદદોષરૂપ બનતું નથી, કારણકે એના સ્થાનાદિ તો “ઇચ્છાયોગ’ રૂપ બનવાની પૂર્ણ શક્યતા છે.
येऽपि स्थानादिशुद्धमप्यैहिककीर्त्यादीच्छयाऽऽमुष्मिकस्वर्लोकादिविभूतीच्छया वैतदनुष्ठानं कुर्वन्ति तेषामपि मोक्षार्थकप्रतिज्ञया विहितमेतत्तद्विपरीतार्थतया क्रियमाणं विषगरानुष्ठानान्तर्भूतत्वेन महामृषावादानुबन्धित्वाद्विपरीतफलमेवेति।
વૃત્તિઅર્થઃ વળી, જેઓ સ્થાનાદિની શુદ્ધિવાળા એવા પણ આ અનુષ્ઠાનને ચિત્યવંદનમાં ફળાકાંક્ષા
(143)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org