SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કેળવવી છે, તો ક્રોધી પર તિરસ્કાર ન જ કરાય... કરુણા જ કરવાની આવા પ્રયત્નની આવશ્યક્તા જ ન રહે, ને કોધીને જોઈને સહજ કરૂણા જ ર્યા કરે... આવી અવસ્થા સિદ્ધિઆશય માટે આવશ્યક છે. સિદ્ધિ અવસ્થામાં ક્ષમાદિ ધર્મસ્થાન એવું ધુંટાતું જાય છે જેથી ઉપદેશાદિ દ્વારા એનો પડઘો સામા યોગ્ય જીવોમાં પડે ને તેમાં એનો વિનિયોગ થાય.. આવી અવસ્થા એ વિનિયોગ આશય છે. એટલે જ ષોડશકની વૃત્તિમાં ઉપાધ્યાયજી મહારાજે સ્વાત્મકુન્યપરનર્તુત્વ ને વિનિયોગના લક્ષણ તરીકે કહ્યું છે. 'इदमत्र हृदयं-धर्मस्तावद्रागादिमलविगमेन पुष्टिशुद्धिमच्चित्तमेव, पुष्टिश्च पुण्योपचयः, शुद्धिश्च घातिकर्मणां पापानां क्षये या काचिन्निर्मलता, तदुभयञ्च प्रणिधानादिलक्षणेन भावेनानुबन्धवद्भवति, तदनुबन्धाच्च शुद्धिप्रकर्षः सम्भवति, निरनुबन्धञ्च तदशुद्धिफलमेवेति न धर्मलक्षणम् । ततो युक्तमुक्तं “प्रणिधानादिभावेन परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारः सानुबन्धत्वाद् योगः" इति। વૃત્તિઅર્થ: અહીં આ રહસ્ય છે - રાગાદિમલ દૂર થવાથી પુષ્ટિવાળું અને શુદ્ધિવાળું બનેલું ચિત્ત એ જ વસ્તુતઃ ધર્મ છે. આમાં પુષ્ટિ એટલે પુણ્યોપચય અને શુદ્ધિ એટલે ઘાતકર્મ સ્વરૂપ પાપનો ક્ષય ( દાસ) થવાથી થયેલી જે કાંઇ નિર્મળતા. પુષ્ટિ અને શુદ્ધિ... આ બન્ને પ્રણિધાનાદિ સ્વરૂપભાવથી સાનુબધ બને છે. અનુબંધ પડવાના કારણે શુદ્ધિનો પ્રકર્ષ સંભવિત બને છે. નિરનુબન્ધ ચિત્ત તો અશુદ્ધિફલક જ હોવાના કારણે ધર્મ સ્વરૂપ બની શક્યું નથી. તેથી પ્રણિધાનાદિ આશયાત્મક ભાવથી પરિશુદ્ધ એવો સર્વધર્મવ્યાપાર સાનુબંધ હોવાથી યોગ છે. આવું જ કહ્યું છે તે એકદમ યોગ્ય છે. વિવેચનઃ (૧) આમ, ષોડશકજીની ગાથાઓનો આધાર લઈ પાંચ આશયોનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવ્યું. હવે, “ પ્રણિધાનાદિ આશયવાળો ધર્મ પરિશુદ્ધ હોય છે અને તેથી એ યોગ છે - અર્થાત્ જીવને મોક્ષ સુધી પહોંચાડનારો બને છે; જ્યારે પ્રણિધાનાદિ આશયોથી શૂન્ય ધર્મદ્રવ્યક્યિારૂપ હોવાથી તુચ્છ હોય છે અને તે જીવને મોક્ષ સુધી જોડનારો બનતો નથી” આવું શા માટે? એ સ્પષ્ટ કરવા વૃત્તિકાર મત્ર હૃવય વગેરે કહ્યું છે. પુષ્ટિ - શુદ્ધિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy