________________
પ્રણિધાનાદિ આશયોની સંભવિત મર્યાદા.... આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટેનો કે અહિંસાદિ ધર્મસ્થાનની પ્રાપ્તિનો નિરુપાધિક સંકલ્પ થયો છે. પણ એ માટેના ઉપાયોને અજમાવવાનાને અપાયોમાંથી નિવૃત્ત થવાના જેટલા જેટલા અવસર આવે એ દરેક વખતે તે તે પ્રવૃત્તિ કે નિવૃત્તિનો પ્રયત્ન થાય જ એવો નિયમ નહીં, જ્યારે પ્રયત્ન થાય ત્યારે પણ, તે અતિશયિત જ હોય એવો પણ નિયમ નહીં... આવું ચિત્તનું અવસ્થાન એ પ્રણિધાન આશય છે.
વિશેષ વિઘ્ન ઉપસ્થિત ન થયું હોય તો ઉપાય-અપાયના દરેક અવસરે પ્રવૃત્તિ-નિવૃત્તિનું દિલ બન્યું જ રહે ને એ મુજબ પ્રયત્ન પણ થાય જ) એવી ચિત્તની અવસ્થા કેળવાઈ જાય એટલે પ્રવૃત્તિઓશયનો પ્રારંભ થયો. (પ્રવૃત્તિ આશય કેળવાયો). પણ હજુ, વિઘ્ન આવે તો ગાડી પાટા પરથી ઉતરી જાય. આવી હાલત હોય... તેથી વિધ્વઆશય નથી.
વિપ્ન ખડું થવા છતાં પણ વિચલિત થયા વિના પ્રવૃત્તિ-નિવૃત્તિનો અતિશયિત પ્રયત્ન ચાલુ જ રખાવે એવું ચિત્તનું અવસ્થાન કેળવાય ત્યારથી વિધ્વજ્ય આશયનો પ્રારંભ જાણવો. (વિનજય આશય કેળવાયો.) પણ હજુ કોધ મારા સ્વભાવમાં જ નથી વગેરે સંવેદનાત્મક અનુભવ નથી હોતો. ‘મારા ભગવાને ક્રોધનો નિષેધ ક્ય છે. માટે ક્રોધ કરાય નહીં...' ‘મારે ક્ષમા કેળવવી છે, માટે ગુસ્સો કરાય નહીં વગેરે સંવેદન હોય શકે.
જ્યારથી કોધ એ મારો સ્વભાવ જ નથી – મારું સ્વરૂપ જ નથી' વગેરે અનુભવ સ્વયં કરે અને સહજ રીતે યથાસ્થાન કૃપા – ઉપકાર-વિનય પ્રવર્યા કરે.. આવી ચિત્તની અવસ્થાનો પ્રારંભ એ સિદ્ધિ આશયનો પ્રારંભ છે. જો કે પ્રણિધાન આશયમાં પણ ક્રોધ એ મારો સ્વભાવ નહીં હું એ ક્રોધી નથી વગેરે સંવેદના હોય છે ને અહીં પણ એવી સંવેદના છે, તો બે માંફેર શું? બેમાં ઘણો ફેર છે. પ્રણિધાનમાં ક્ષમા સ્વભાવ સાધ્યત્વેન સદાય છે, અર્થાત્ (મારે ક્રોધમુક્ત થવું છે’) એ રીતે કોધના અભાવને સાધવાની સંવેદના છે જ્યારે સિદ્ધિ આશયમાં તે સિદ્ધત્વન સદાય છે. પોતાના આત્મામાં, ગમે તેવા નિમિત્તે પણ ક્રોધ ઊઠતો નથી, ને ક્ષમા જ વહ્યા કરે છે આવો સ્વયં અનુભવ સિદ્ધિ આશયમાં છે. આ જ રીતે અધકૃપા વગેરે પણ પ્રણિધાનઆશયથી જ હોય છે. પણ ત્યાં એ પ્રયત્નપૂર્વકની હોય છે. મારે ક્ષમા (52)
યોગવિંશિકા...૧)
52
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org