________________
જીવને શુદ્ધ આત્મસ્વરૂપનું ને એ માટે અહિંસાદિનું પ્રણિધાન, અધકૃપાનુગત્વ.. વગેરેની પ્રેરણા કરી એ માટે પ્રયત્નશીલ બનાવવો એ પ્રણિધાનનો વિનિયોગ છે. એમ ઉપાયમાં પ્રવૃત્તિના ને અપાયમાં નિવૃત્તિના અતિશયિત પ્રયત્નવાળો એ બને એ માટે પ્રેરણા કરવાથી પ્રવૃત્તિનો વિનિયોગ થાય છે. એટલે પોતાની પ્રવૃત્તિ પણ પૂર્વકરતાં વધારે પ્રબળ ઉત્સાહ-આદર-યત્નાતિશયથી થાય છે. નાના મોટા વિનોની સામે પણ ટકી રહેવાની ધેર્ય-સત્ત્વ કેળવવાની પ્રેરણા દ્વારા સામાજીવને વિનયમાં આગળ વધારનારને કર્મક્ષય થવાથી પ્રાયઃ તો વિના જ આવતા નથી. તથા, પોતાનું સત્ત્વ- વૈર્ય પણ પ્રબળ થવાથી વિપ્નજ્ય સાહજિક થાય છે. આમ સર્વત્ર જાણવું.
કદાચજેનો સિદ્ધિ આશય પ્રગટન થયો હોય એવી પણ સહાય-પરોપકારના આશયથી જે કાંઈ શુભ પ્રવૃત્તિ થાય એ સ્વમાં પૂર્વ કરતાં પ્રબળ બને છે, માટે એટલા અંશે એ વિનિયોગરૂપ બની એમ કહી શકાય છે. અન્નદાન કરનારને ભાવમાં અન્ન સારું મળે-પૂરું મળે-પચે. આરોગ્ય મળે. સેવા કરનારને સારા સેવકો મળે... વગેરે જાણવું પણ સિદ્ધિ આશય પૂર્વે વિનિયોગ આશય ન હોય એ જાણવું.
(૧) “ઇતિ’ શબ્દ અંગે વૃત્તિકારે બે વાત કહી છે - એ ભિન્નકમ છે અને સમાન્યર્થ છે. એનો આશય આવો છે - ષોડશકની અધિકૃત ગાથામાં ‘સુન્દરમિતિ તત્પરંયાવતું આ રીતે શબ્દોનો ક્રમ છે. એમાં ‘ઇતિ’ શબ્દનો જે કમ છે તેના કરતાં અન્વય કરવામાં ભિન્નકમ જાણવો. એટલે સુન્દર યાત્પરમિતિ” એવો અન્વય જાણવો. તથા આ ઇતિ’ શબ્દનો અર્થ સમાપ્તિ = સમ્યફ પ્રાપ્તિ એવો લેવાનો છે. એટલે ‘યાવત્ પ્રકૃષ્ટ ધર્મસ્થાન સંપ્રાપ્ત થાય ત્યાં સુધી સુંદર છે ત્યાં સુધીના સામર્થ્યવાળું છે) એવો અર્થ થાય છે, એ જાણવું
*ષોડશકજીના લોકની વૃત્તિમાં સમર્થ આવો જે શબ્દ છે એનો કેટલાક વિદ્વાનો સમાપ્તિ પૂર્ણાહૂતિ એવો અર્થ કલ્પી ઇતિ શબ્દ વક્તવ્યની સમાપ્તિને જણાવનારો છે એવો અર્થ કરે છે. પણ અહીં એનો વાસ્તવિક અર્થ પૂર્ણતા નથી. કિન્તુ સમઆમિ=સંપ્રાપ્તિ છે. કારણકે સ્વયં વૃત્તિકારે આગળ જણાવ્યું છે કે યાત્પર = પ્રણં ધર્મસ્થાન સમાપ્યતે ત્યર્થ તથા શ્રીયશોભદ્રસૂરિ મ. કૃત વૃત્તિમાં પણ તદ્ધધર્મસ્થાનં પરં = પ્રયત્સંપન્ન... એમ સંપન્ન શબ્દ દ્વારા સંપ્રાપ્તિ અર્થ જ સૂચિત કર્યો છે. થોડાકજીની ઉપાધ્યાયજી મહારાજની વૃત્તિમાં તિ શબ્દ હેતુ અર્થમાં છે એમ જણાવ્યું છે એ જાણવું. પ્રિણિધાનાદિની સંભવિત મર્યાદા
(51)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org