________________
(૨) પુષ્ટિ એટલે પુણ્યોપચય... વગેરેનો નીચે મુજબ ભાવાર્થ જાણવો . રાગ, દ્વેષ, મોહ વગેરે અન્તઃ કરણને મલિન કરનારા – સંક્ષિણ કરનારા મળે છે. ચિત્ત, અનાદિકાળથી આવા રાગાદિમલથી મલિન છે અને એના કારણે પાપબંધને અશુદ્ધિ રહ્યા કરે છે. આ રાગાદિમલમાં વધઘટ થયા કરે છે. જ્યારે આ રાગાદિમલ ઘટે છે ત્યારે ચિત્ત પુષ્ટિવાળું અને શુદ્ધિવાળું બને છે. આવું પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે. એમાં પુષ્ટિ એટલે પુણ્યોપચય અને શુદ્ધિ એટલે પાપપ્રકૃતિ એવા ઘાતકર્મો દૂર થવાથી થતી નિર્મળતા. આ પુષ્ટિ અને શુદ્ધિ પ્રણિધાન વગેરે આશય સ્વરૂપ ભાવના કારણે સાનુબન્ધ બને છે, અને તેથી શુદ્ધિનો પ્રકર્ષ સંભવિત બને છે.
આશય એ છે કે પ્રથમસંઘયણ, સગરનો યોગ વગેરેની પ્રાપ્તિ માટે પુણ્યોપચય આવશ્યક છે. એટલે, ક્ષાયિક સમ્યક્ત પામનાર જીવ છેવટે ત્રીજા કે ચોથાભવે તો મોક્ષ પામીજ જાય એવો સામાન્યથી નિયમ હોવા છતાં, શ્રીદુષ્પસહસૂરિ મહારાજને પ્રથમ સંઘયણ અપાવનાર પુણ્યનો ઉદય ન થવાથી ત્રીજા ભવે મુક્તિ ન થતાં પાંચમા ભવે થશે. વળી અન્તઃ કરણના મલ સ્વરૂપ રાગાદિનો હ્રાસ થવાથી શુદ્ધિ વધતી જાય છે. પ્રથમ સંઘયણ વગેરે પુણ્યોદય હોવા છતાં, રાગ-દ્વેષાદિના તથાવિધ દ્વારા સ્વરૂપ શુદ્ધિ ન આવવાથી ઉપશામક જીવો લવસત્તમસુર બને છે, પણ મુક્તિ પામી શકતા નથી. માટે શુદ્ધિ પણ આવશ્યક છે. આમ પુષ્ટિ અને શુદ્ધિ બન્ને જરૂરી છે. આમાં શુદ્ધિ તો અન્તઃ કરણમાં જ રહે છે. તેથી સાક્ષાત્ સંબંધથી શુદ્ધિમત્ ચિત્ત હોય છે. પુણ્યોપચય આત્મામાં રહે છે, ને ચિત્ત એનું કારણ છે. તેથી સ્વનિરૂપિત કારણતા સંબંધથી પુષ્ટિમચ્ચિત્ત જાણવું
પુષ્ટિથી=પુણ્ય વધવાથી વધારે સારા સંયોગસામગ્રી મળે છે જેના કારણે જીવ વધારે પુરુષાર્થ દ્વારા વધારે શુદ્ધિ (રાગાદિમલદ્દાસ) કેળવી શકે છે. એ વળી વધારે પુણ્યોપચય કરાવે છે જે વધારે ઊંચી સામગ્રી મેળવી આપે છે... ને એના સહ્યોગથી જીવ ઓર વધારે શુદ્ધિ કેળવે છે. આમ આગળ વધતાં વધતાં શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. પણ આ પુષ્ટિ અને શુદ્ધિ ઉત્તરોત્તર વધતા જ જાય. વચ્ચે ઘટવાનમાંડે કેનાલન પામી જાય. એ માટે એ સાનુબંધથવા જોઈએ. પ્રણિધાનાદિ આશયથી (મુખ્યતયા પ્રણિધાનાદિ પાંચ આશયોમાંના વિનિયોગ આશયથી) એ સાનુબન્ધ થાય છે.
(54)
યોગવિંશિકા...૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org