________________
રસિયો છે અને સુખશીલ છે. સામાન્યથી કોઇપણ ધર્મક્યિામાં ઓછેવત્તે અંશે પણ વિષય-કષાયને છોડવાના હોય છે તેમ જ કંઈક ને કંઈક કષ્ટ ઉઠાવવાનું હોય છે. એટલે, જીવ સુખનો અર્થી હોવા છતાં, તથા સુખ ધર્મથી જ મળે છે એ સનાતન સત્ય હોવા છતાં, ધર્મ કરતો નથી. ઉપમિતિભવપ્રપંચાકથામાં આ વાત કરી છે. એટલે મૂળતઃ તો જીવને ધર્મનો રસ છે જ નહીં. એમાં પાછી જો આ વાત કરવામાં આવે કે
અવિધિ થશે તો મોટું નુકશાન થશે...' તો તો પછી એને ધર્મની રૂચિ જાગે જ શી રીતે ? એટલે ધર્મક્રિયાનો માત્ર મહિમા ગાવા દ્વારા એના દિલમાં ધર્મક્યિાનું આકર્ષણ જગાડવામાં આવે છે. એ જાગે, એટલે ધીમે ધીમે એ ધર્મક્રિયા કરતો થાય છે. સાથે સાથે વિધિપાલનનો પણ મહિમા એને કહેવામાં આવે છે.... (પણ હજુ અવિધિના નુકશાનો કહેવાતા નથી...) એનાથી એને વિધિપાલનનો પણ રસ જાગે છે. અલબત્ હજુ પ્રથમાભ્યાસ છે... તથા પછી પણ અનાભોગ-પ્રમોદાદિ પડેલા છે... એટલે અવિધિ થયા કરે છે. છતાં, વિધિબહુમાન વગેરેના કારણે એ અવિધિદોષ નિરનુબન્ધ હોય છે અને ક્ષીયમાણ હોય છે. આમ કરતાં કરતાં તે તે ધર્મક્રિયાઓમાં એ જીવ દઢ બને છે. (એટલે કુલયોગીની ભૂમિકા આવી.) હવે એને અવિધિ છોડવાની પણ વિશેષ પ્રકારે ચાનક લાગે એ માટે “અવિધિથી મહામૃષાવાદ દોષ લાગે વગેરે વાતો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ધર્મક્સિાઓ એના જીવનમાં અસ્થિમજ્જા જેવી થઈ ગઈ છે. એટલે આવી વાતો સાંભળીને પણ એને ધર્મક્ષિા છોડવાની પ્રેરણાનથી મળતી પણ અવિધિ છોડવાની જ પ્રેરણા મળે છે. એટલે ધીમે ધીમે એ અવિધિ છોડતો જાય છે ને છેવટે અવિધિમુક્ત-વિધિયુક્ત અનુષ્ઠાન કરતો થાય છે.
એટલે આ નિશ્ચિત થયું કે અવિધિદોષની વાતો વિધિરસિક જીવને જ કરવાની છે ને એ વાતો, એ જીવો અનુષ્ઠાન છોડી દે એ માટે નથી, પણ અવિધિ ટાળવાની આતુરતા એમને જાગે એ માટે હોય છે. એટલે જ, શ્રોતાને ક્રિયા જ છોડી દેવાની બુદ્ધિ ન થઈ જાય એની ઉપદેશકે કાળજી રાખવાની હોય છે.
આ જ વાત વિષાનુષ્ઠાન વગેરે પ્રરૂપણાને પણ લાગુ પડે છે. જેને તીવ્રભવાભિમ્પંગ છે, જે અપુનર્બન્ધક અવસ્થાને પામેલો નથી. જે અપ્રજ્ઞાપનીય છે... આવા જીવો તો ધર્મશ્રવણના અધિકારી જ નથી. માટે આવા જીવોને તો વિષાનુષ્ઠાન વગેરેની વાત કરવાની હોતી નથી. જે અપુનર્બન્ધક છે – જે પ્રજ્ઞાપનીય છે એવા જીવો
(208)
યોગવિંશિકા....૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org