________________
પ્રશ્ન : પણ જો મહામૃષાવાદ વગેરે દોષ લાગતો ન હોય, તો એવો દોષ લાગવાની વાત કરી શકાય?
ઉત્તર: દોષ ટાળવાની ચાનક જગાડવાના અભિપ્રાયથી કરી શકાય. જેમકે જે દોષ એવો અક્ષત્તવ્યન હોય કે જેથી એ દોષને સાધુપણાંમાં ન છોડી શકનાર માટે ગૃહસ્થવાસ સારો થઈ જાય, એવા (જેમકે બપોરે બે-અઢી કલાક નિદ્રા) દોષને પણ ટાળવાની ચાનક લાગે એ માટે ગુરુ (નિદ્રાળુ) શિષ્યને ‘અલ્યા! તારે ઉંધ્યા જ કરવું છે તો એના કરતાં તું ઘરે શું ખોટો હતો?’ આવું જરૂર કહી શકે છે.
પ્રશ્નઃ ગુરુ ભલે શ્રોતાને ચાનક લાગે એ માટે આવી વાત કરે, પણ શ્રોતાને “અવિધિ કરવાથી મહામૃષાવાદદોષ લાગે... અવિધિસ્તં કરતાં અર્તા સારો છે...' આવું બધું સાંભળીને અનુષ્ઠાન જ છોડી દેવાનું મન થઈ જાય, તો તો એને નુકશાન જ થઈ જાયને? કારણકે ભલે અવિધિવાળું.. પણ અનુષ્ઠાન ચાલુ રાખવામાં આવે તો જ ધીમે ધીમે અવિધિદોષ ક્ષીણ થઈ વિધિયુક્ત અનુષ્ઠાન પામવાની જે શક્યતા હતી તે તો દૂર થઈ ગઈ.
ઉત્તર : એટલે જ આવી વાતો જેમાં આવે છે તેવા યોગ વગેરેના ગ્રન્થો ધર્મશ્રવણના અધિકારી એવા પણ બધા જ જીવોને આપવાના (સંભળાવવાના) હોતા નથી. ‘અવિધિ કરવાથી મહામૃષાવાદ દોષ લાગે આવું બધું સાંભળવા છતાં જેને અનુષ્ઠાન છોડવાનું મન ન થાય, પણ અવિધિ છોડવાની જ ઓછેવત્તે અંશે પણ પ્રેરણા મળે એવા જીવોને જ આ વાતો કરવાની હોય છે. કુલયોગીને પ્રવૃત્તચક યોગી જીવો આવા હોય છે. માટે એ જીવોને જ આ ગ્રન્થોના અધિકારી કહ્યા છે. ભવાભિનંદીના ક્ષુદ્રતાકિદોષો વગેરે રૂપ અયોગ્યતા જે શ્રોતામાં પ્રતીત ન થાય એ બધા સામાન્યથી ધર્મશ્રવણના અધિકારી છે. આવા જીવને ધર્મમાં જોડવા માટે, એ પાપયિાઓ છોડતો જાય ને ધર્મક્રિયાઓ કરતો થાય એ માટે, ધર્મક્યિાનો રસ જગાડવાના અભિપ્રાયથી એની આગળધર્મક્યિાના મહિમાનું જ માત્ર વર્ણન કરવામાં આવે છે. એ વખતે અવિધિદોષની કોઈ વાત કરવામાં આવતી નથી. બેશક ધર્મક્રિયા આપતી વખતે વિધિનું વર્ણન તો કરે જ. (ધર્મક્યિા શી રીતે કરવાની? એતો દર્શાવવાનું હોય જ !) પણ, ‘જો આમાં ગરબડ થાય તો લાભના બદલે મોટું નુકશાન થઈ જાય વગેરે એ વખતે એને કહેવામાં આવતું નથી. જીવ અનાદિકાળથી વિષય-કષાયનો પ્રસ્તુત નિરૂપણ કોના માટે ?
207
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org