________________
કારણે હોય છે.) માટે એની અવિધિવાળી ક્રિયા, ‘જિનોક્તમ્ એવી સદ્ભક્તિ ન હોવાના કારણે અવિધિદોષને ક્ષીણ કરનારી બનતી નથી. ઉપરથી, ક્યિાકાળે જિનવચનો યાદ આવે – એના દ્વારા પ્રરૂપિત વિધિ યાદ આવે... અને છતાં ધરાર એની ઉપેક્ષા-અનાદર કરે એટલે મિથ્યાત્વગાઢ બનતું જાય દુર્લભબોધિતા સર્જતી જાય... વગેરે મોટું નુકશાન થાય છે. ક્રિયા પ્રત્યે બહુમાન કે બહુમાનની યોગ્યતા ધરાવનાર અલ્તને આવું નુકશાન નથી. માટે એ અવિધિર્તા કરતાં સારો છે.
હવે એક બીજી વિચારણા - જે વિધિરસિક નથી, શાસ્ત્રશ્રવણકાળે પણ વિધિ જાળવવાના મનોરથ વગેરે રૂપ સવેગ જેને પેદા થતો નથી એને તો શાસ્ત્રશ્રવણના જ અનધિકારી બતાવ્યા. જેઓ વિધિરસિક છે એવા શ્રોતાને જ વિધિશાસ્ત્રશ્રવણના અધિકારી બતાવ્યા. આવા શ્રોતાઓ કદાચ અવિધિ સેવે તો પણ વિધિ બહુમાનાદિના કારણે તેઓનો અવિધિ દોષ નિરનુબન્ધ હોય છે અને તેથી તેમનું એવું વિધિવિકલ અનુષ્ઠાન પણ દોષ માટે થતું નથી, પણ ઉપરથી ક્રમશઃ અવિધિ આદિને ક્ષીણ કરતાં કરતાં વિધિ અનુષ્ઠાન પમાડવારૂપે લાભકર્તા છે. તો “અવિધિથી અનુષ્ઠાન કરવામાં મહામૃષાવાદાદિ દોષ છે, અવિધિથી અનુષ્ઠાન કરવામાં સૂત્રક્રિયાવિનાશ અને તીથોચ્છેદ થાય છે... વગેરે..''આ બધું નિરૂપણ કોના માટે છે? ટૂંકમાં વિધિના અરસિકને એ સંભળાવવાનું નથી. અને વિધિરસિકને આવા દોષ લાગતા નથી. તો આવા દોષ લાગે આવું સંભળાવવાનું કોને ?
આ પ્રશ્નનો મને ભાસતો ઉત્તર - વિધિઅરસિકજીવો તો અનધિકારી હોવાથી એમને જણાવવા માટે આ નિરૂપણ નથી જ. અર્થાત આ વાતો પણ કરવાની તો વિધિરસિક જીવોને જ છે. તેઓનો અવિધિદોષ નિરનુબંધ હોવાથી મહામૃષાવાદ વગેરે રૂપ નથી... છતાં તેઓને આવું જણાવવાની પાછળ, ‘તેઓના દિલના કોઈ ખૂણે પણ અવિધિ પ્રત્યે કૂણી લાગણી ન રહી જાય... ને તેઓને અવિધિને ટાળી વિધિ જાળવણીની ચાનક લાગે... એ માટે સતત પ્રયત્ન થયા કરે..” આવો જ્ઞાનીપુરુષોનો અભિપ્રાય પ્રતીત થાય છે. નહીંતર, ‘તમારો અવિધિદોષ પણ નિરનુબંધ છે... તમારું અવિધિયુક્ત અનુષ્ઠાન પણ ફળતઃ વિધિરૂપ જ છે વગેરે જ વાતો જો તેઓને કરવામાં આવે તો, ન અવિધિનો એટલો ભય પેદા થાય કેન વિધિ જાળવવાની એવી આતુરતા જાગે.
206
યોગવિંશિકા...૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org