________________
જિનવચનના શ્રવણના અધિકારી છે. એમને આ વાત કરી શકાય. પણ આવા જીવોને કદાચ ભૌતિક અપેક્ષા હોય તો પણ એ નિરનુબન્ધદોષ રૂપ છે તેમજ સદનુષ્ઠાનરાગ વગેરેના કારણે ક્ષીયમાણ હોય છે. એટલે તેઓનું અનુષ્ઠાન મુખ્યતયા તકેતુઅનુષ્ઠાન બનતું હોય છે. (ક્વચિત્ અનાભોગવશાત્ અનનુષ્ઠાન બને.. અને અપેક્ષાદિ ખસી જાય ત્યારે અમૃતાનુષ્ઠાન બને..) પણ વિષ-કે ગર અનુષ્ઠાનની સંભાવના (બહુધા) હોતી નથી... તો આ જીવોને પણ વિષ/ગરની વાતો જણાવવાની શી જરૂર? કારણ કે ભૌતિક અપેક્ષાવાળું પણ તેઓનું અનુષ્ઠાન તહેતુ અનુષ્ઠાન બનતું હોવાથી લાભર્તા જ હોય છે. ને તેમ છતાં, ‘ઇહલૌકિક-પારલૌકિક અપેક્ષાથી કરાતું અનુષ્ઠાન વિષગર બને છે એવું એને સંભળાવવામાં આવે અને એ સાંભળીને એને અનુષ્ઠાન છોડી દેવાની જ જો બુદ્ધિ થઈ જાય તો તો ભારે નુકશાન ન થઈ જાયને?
એટલે અહીં પણ માનવું પડે છે કે અનુષ્ઠાન છોડાવી દેવા માટે આ વાતો નથી, પણ ભૌતિક અપેક્ષા છોડવાની વધુ ચાનક લાગે એ અભિપ્રાયથી આ વાતો કરવામાં આવે છે. એટલે જ જેને આ વાતો સાંભળીને અનુષ્ઠાન છોડી દેવાની જ ઇચ્છા જાગે તેવા જીવો આ વાતોના શ્રવણના અધિકારી નથી. એટલે જ જેઓને હજુ નવા ધર્મમાં જોડવાના છે કે જેઓ નવા-નવા જોડાયા છે તેઓને અપાતા ઉપદેશમાં માત્ર ધર્મનો મહિમા જ ગાવામાં આવે છે ને ધર્મ (ધર્મક્રિયા) પણ વિષ બની શકે છે એવી વાત તો ક્યાંય કરવામાં આવતી નથી. પછી એ જીવો ધર્મમાં અત્યંત સ્થિર બની જાય (કુલયોગીની ભૂમિકા આવી જાય) એટલે પછી ભૌતિક અપેક્ષા છોડવાની એને ચાનક લાગે એ માટે આ વાત કરવામાં આવે છે. આ ભૂમિકાનો પ્રભાવ હોય છે કે આ વાત સાંભળવા છતાં, ધર્મક્રિયા છોડવાની એને પ્રેરણા નથી મળતી, પણ અપેક્ષાદિ છોડવાની જ બુદ્ધિ આ વાતો સાંભળીને એને થાય છે. આવો ઉપદેશ મળવો એ ગુર્વાજ્ઞાયોગ છે. સદનુષ્ઠાનરાગ-જિનોક્ત એવી સદ્ભક્તિ... તો એને છે જ. વળી એ પ્રજ્ઞાપનીય પણ છે. તેથી પ્રજ્ઞાપનીય જીવને વિધિબહુમાન અને ગુર્વાશાયોગના કારણે અવિધિદોષ જેમ નિરનુબંધ બને છે તથા અવિધિવાળું અનુષ્ઠાન પણ મૃષાવાદાદિરૂપ દોષ માટે નથી બનતું- પણ ફળતઃ વિધિરૂપ બને છે, એમ આ પ્રજ્ઞાપનીય જીવને સદનુણાનરાગ (કજિનોક્ત એવી સદ્ભક્તિ) છે અને ગુર્વાશાયોગ છે તેથી તેનો ભૌતિકઅપેક્ષા દોષ પણ નિરનુબંધ બને છે, તેમજ આ સાભિન્કંગ અનુષ્ઠાન પણ મહામૃષાવાદાનુબન્ધિત્વાદિ દોષ માટે નથી બનતું પણ ફળતઃ વિષાનુષ્ઠાન વગેરે નિરૂપણ કોના માટે ?
(209)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org