________________
इतिवक्तुर्महत् तन्त्रे प्रायश्चित्तं प्रदर्शितम् ॥ ७॥ 'तस्माच्छुतानुसारेण विध्येकरसिकैर्जनैः। संविग्नजीतमालम्ब्यमित्याज्ञा पारमेश्वरी ॥८॥
વૃત્તિઅર્થ: 'જ્યાં સુધી કલ્પ = કૃતાક્ત આચાર = તીર્થ છે ત્યાં સુધી કૃત એ વ્યવહાર કરનારો નથી આવું બોલનારને તત્રમાં = શાસ્ત્રમાં મોટું પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે. [વસ્તુતઃ આશ્લોકનો અર્થ આવો સમજવો. (જીતને વ્યવહાર તરીકે માન્યછ્યું, એટલે કોઈ એમ કહે કે, ‘કલ્પ અને વ્યવહારસૂત્રમાં કહેલા અર્થ સુધીનું મૃત વ્યવહાર કરનારું નથી તો આવું બોલનારને મોટું પ્રાયશ્ચિત્ત આવે એમ શાસ્ત્રમાં દર્શાવ્યું છે. (કારણકે જે આચરણાઓ શ્રુતથી જુદી પડતી હોય એમાં જ જીતવ્યવહાર વ્યવહાર કરનાર છે, જે આચરણાઓ સ્પષ્ટ રીતે મૃતથી જુદી નથી, એમાં તો વ્યુતવ્યવહાર જ વ્યવહાર કરનાર છે. માટે જ કાત્રિશદ્રદ્ધાત્રિશિકાની ત્રીજી માર્ગબત્રીશીના પ્રથમ શ્લોકમાં શાસ્ત્ર અને જીત એ બન્નેને માર્ગ તરીકે કહ્યા છે, માત્ર જીતને નહીં).] માટે શ્રુતાનુસારે વિધિનો એક માત્ર રસ ધરાવનારા જીવોએ સંવિગ્નજીતનું આલંબન કરવું જોઈએ એવી પારમેશ્વરી આશા છે.
વિવેચનઃ (૧) પૂર્વપક્ષીએ તીર્થની હયાતિ સુધી જીવ્યવહાર જ વ્યવસ્થાપક છે આવું જે કહેલું એનું નિરાકરણ કરવા આ શ્લોક કહ્યો છે. જેના આધારે કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય થાય એ વ્યવહારક કહેવાય. શ્રુત વ્યવહારક નથી એવું કહેનારને પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે એનો મતલબ જ શ્રુત પણ વ્યવહારક છે જ. દેશકાલાદિને નજરમાં રાખીને જેમાં સંવિગ્નગીતાર્થોએ ફેરફાર કરેલા છે તે આચરણોમાં જીત વ્યવહારક છે, ને પાંચ મહાવ્રત વગેરે જે બાબતોમાં ફેરફાર કરાયો નથી તેમાં શ્રુત વ્યવહારક છે. એમ વિભાગ જાણવો. છા
(૨) શ્રુતાનુસાર = શાસ્ત્રવચનોના આલંબને વિધિનો પ્રચંડ રસ પેદા કરવો જોઇએ. આવા રસવાળા જીવોને જ સંવિગ્નજીત (અસંવિગ્ન પરંપરા તો નહીં જ) અવલંબન કરવા યોગ્ય છે. વિધિના રસવગરના જીવો તો જેટલી ઓછી વિધિ કરવી પડે એટલું કષ્ટ ઓછું વગેરે સુખશીલતા-પ્રમાદના કારણે પરંપરા અપનાવવા માગતા હોય છે. માટે તેઓ માટે પરંપરા અવલંબનીય નથી. વિધિરસિક જીવોને તો શ્રોક્ત વિધિ છોડવી હોતી નથી. પણ હીનસંઘયણાદિ પ્રબળ કારણે જ, સંવિગ્નગીતાર્થોએ 1989
યોગવિંશિકા....૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org