SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આચરેલા માર્ગરૂપ જીતને તેઓ અપનાવે છે. સંવિગ્નગીતાર્થોએ પણ તેવા કારણે જ તો તેવા આચરણને અપનાવ્યું હોય છે. માટે વિધિરસિકજીવો માટે જીતવ્યવહારનું આલંબન હિતકર નીવડે છે. તેથી તેઓ માટે એ અવલખ્યું છે. દ્રા (અતિનિપુણબુદ્ધિથી પ્રાપ્ત થતો આ સાધુસમયસર્ભાવ છે. એને ધ્યાનમાં રાખીને પંડિત પુરુષે સમ્ય પ્રવૃત્તિ કરવી.) 'ननु यद्येवं सर्वादरेण विधिपक्षपातः क्रियते तदा-- अविहिकया वरमकयं असूयवयणं भणति सव्वन्नू।। पायच्छित्तं जम्हा अकए गुरुयं कए लहु॥ इत्यादिवचनानां का गतिः? इति चेत् ? 'नैतानि वचनानि मूलत एवाविधिप्रवृत्तिविधायकानि, किन्तु विधिप्रवृत्तावप्यनाभोगादिनाऽविधिदोषश्छद्मस्थस्य भवतीति तद्भिया न क्रियात्यागो विधेयः । प्रथमाभ्यासे तथाविधज्ञानाभावाद् अन्यदापि वा प्रज्ञापनीयस्याविधिदोषो निरनुबन्ध इति तस्य तादृशानुष्ठानमपि न दोषाय, विधिबहुमानाद् गुर्वाज्ञायोगाच्च तस्य फलतो विधिरूपत्वाद् - इत्येतावन्मात्रप्रतिपादनपराणीति न कश्चिद् दोषः। વૃત્તિઅર્થ શંકા... આ રીતે જો સર્વ આદરથી વિધિનો પક્ષપાત કરો છો તો,- “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું આવું બોલવું એ અસૂત્ર = ઉસૂત્રવચન છે એમ સર્વજ્ઞો કહે છે. કારણકે ન કરવામાં ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે અને (અવિધિથી) કરવામાં લઘુ પ્રાયશ્ચિત્ત આવે છે. '- આવું જણાવનારાં વચનોનું શું કરશો? સમાધાન -અવિદિયા... વગેરે વચનો મૂળથી અવિધિથી પ્રવૃત્તિ કરવી એવું વિધાન કરનારા નથી, પણ વિધિપૂર્વક કરાતી પ્રવૃત્તિમાં પણ છવાસ્થને અનાભોગાદિથી કંઈક ને કંઇક અવિધિ થઈ જવાનો દોષ લાગે છે. એટલે તે દોષના ભયથી ક્રિયાત્યાગ ન કરી દેવો. કારણકે પ્રથમ અભ્યાસમાં = અનભ્યસ્ત કાળમાં તેવું જ્ઞાન ન હોવાથી અને અન્યતા પણ = અભ્યસ્તકામાં પણ પ્રશાપનીય જીવનો અવિધિદોષ નિરનુબંધ છે. એટલે તેનું તેવું અનુષ્ઠાન પણ દોષકર નીવડતું નથી. વિધિનું બહુમાન હોવાથી અને ગુર્વાશાનો યોગ હોવાથી તે (=અવિધિવાળું અનુષ્ઠાન) ફળતઃ વિધિરૂપ જ નીવડે છે. માત્ર આવું જણાવનારા તે વચનો છે, માટે કોઈ દોષ નથી. વિવેચનઃ (૧) પૂર્વપક્ષઃ અવિધિથી કરવામાં આવે તો લઘુપ્રાયશ્ચિત્ત અવિધિ અંગે વિચારણા (199) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy