SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આ અધિકારોનો વિચાર કરીએ તો સ્પષ્ટ જણાય છે કે આત્મહિતના જિજ્ઞાસુને ‘ગુરુ તરીકે અભિપ્રેત મહાત્મા સંવિગ્ન (પાપભીરુ) અને ગીતાર્થ (શાસ્ત્રોના જાણકારી છે કે નહીં? આ જ તપાસવાનો અધિકાર છે, એકવાર આ નિર્ણય થઈ જાય, પછી તો તેમના વચનને તહત્તિ કરવામાં જ એનું આત્મહિત રહ્યું છે, એને અતહત્તિ (અસ્વીકાર) કરવામાં તો મિથ્યાત્વ-અભિનિવેશ નામનો મોટો દોષ લાગે છે. [વચનને તત્તિર્યાબાદ - આપ કઈ અપેક્ષાએ આમ કહો છો? એ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરવાની જરૂર અધિકાર છે. હા, એ જાણવા-સમજવાની પોતાની ભૂમિકા તો જોઇએ જ.]. દુનિયામાં પણ આ જ કાયદો જોવા મળે છે. ડૉક્ટર જાણકાર-અનુભવી છે એનો અને એ સ્વાર્થવશ ખોટીસલાહ આપે એવો નથી એનોજ દર્દીએ નિર્ણય કરવાનો હોય છે. એકવાર આ નિર્ણય થઈ જાય પછી ડૉક્ટર જ્યારે માર્ગદર્શન આપતા હોય - દવા પ્રીસ્ક્રાઇબ કરતા હોય ત્યારે ચિકિત્સાશાસ્ત્રનો પાઠ એમને શું કોઈ પૂછે છે? એટલે, અનેકગીતાર્થોએ ભેગા મળીને લીધેલા નિર્ણય અંગે પણ શાસ્ત્રપાઠ માગવાની કે એને વિરાધનારૂપે જાહેર કરવાની વૃત્તિ આત્મઘાતક છે એ સહુએ નોંધી લેવા ભલામણ છે. તે પા (૩) (લોના આલંબને ચાલેલી પરંપરા કેવી હોય તે જણાવે છે-) કૃતાર્થનું અવલંબન ન લેનારા અસંવિગ્નજનોથી જે આચરણ થયું હોય તે અંધપરંપરાજન્ય હોવાથી જીતવ્યવહારરૂપ નથી. જેઓ સંવિગ્ન હોય છે તેઓ જો સ્વયં ગીતાર્થ હોય તો સાક્ષાત્ બૃતાર્થઅવલંબી હોય છે અને સ્વયં અગીતાર્થ હોય તો ગીતાર્થનિશ્રા દ્વારાફળતઃ ભૃતાર્થ અવલંબી હોય છે એ જાણવું. કારણકે વાસ્તવિક સંવેગ પામેલા જીવો અપુનર્બન્ધતા તો પામી જ ચૂકેલા હોય ને તેથી ગીતાર્થનિશ્રાત્યાગરૂપ અનૌચિત્ય તેઓ આચરે નહીં. (અસંવિગ્નજનની પરંપરા એ અંધપરંપરા છે, સંવિગ્નજનની નહીં. એટલે અન્ય લગભગ બધા સમુદાયના ગીતાર્થોની એક સમાન આચરણાને પણ, પોતાની માન્યતાથી ભિન્ન હોવા માત્રના કારણે પરંપરા કે પપડા?” “અંધ પરંપરા’ વગેરે શબ્દો દ્વારા તિરસ્કાર કરનારો પોતાનું ઘોર અહિત કરી રહ્યો છે એ જાણવું) . જા. 'आकल्पव्यवहारार्थं श्रुतं न व्यवहारकम् । મૃતપણ વ્યવહારક છે જ] (197) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy