________________
રીનrm... પોતાના કરતાં અલ્પપ્રમાણમાં અહિંસાદિ ધર્મસ્થાન પામેલા જીવો એ હીનગુણજીવો... અને અલ્પાંશે પણ વિવક્ષિત અહિંસાદિ ધર્મસ્થાન નહીં પામેલા જીવો એ નિર્ગુણજીવો. આ બન્ને પ્રકારના જીવો હંમેશા માટે હીન હોવાના કારણે હંમેશા સહાયની અપેક્ષાવાળા હોય છે. લગભગ સ્વસમાનગુણવાળા જીવો એ મધ્યમજીવો છે. એમને અવસરવિશેષમાં સહાયક બનવાનું હોય છે.
અધિક હોય કે ઉપકારની દષ્ટિએ જે અધિક હોય તે લેવાના છે.
સમાધાન - આવી બધી શંકા નિરર્થક છે. કારણકે જ્યારે વિશેષ કશો ઉલ્લેખ ન હોય ત્યારે, ગુણાધિક’ કે ‘ગુણહીન’ શબ્દો વિવક્ષિત ગુણ અંગે જે અધિક કે હીન હોય એને જ જણાવી શકે, અન્ય ગુણની અપેક્ષાએ અધિક હોય કે હીન હોય એને નહીં. વળી મૂળમાં, ‘૧૦૦% ગુણ કેળવાય ત્યારે જ સિદ્ધિ કહેવાય’ એ કલ્પના જ ગલત છે. તે પણ એટલા માટે કે સિદ્ધિ આશયમાં જ જો પ્રકૃBગુણ પ્રાપ્ત થઈ ગયો હોય તો વિનિયોગ-તથા પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ સુધીની સાનુબધતા-વગેરે જે વાતો ગ્રન્થમાં કરેલી છે તે નકામી થઈ જાય. આશય એ છે કે સિદ્ધિ પછી વિનિયોગ થાય, આ વિનિયોગથી ક્ષયોપશમ સાનુબન્ધ થાય... પછી તેના પ્રભાવે વધારે ગુણ સિદ્ધ થાય... વળી ઓર વિનિયોગ થાય, તેના કારણે વધારે ક્ષયોપશમ સાનુબન્ધ થાય... આ કમે જીવ પ્રકૃષ્ટગુણને પામે છે. વળી પ્રકૃધર્મસ્થાન એટલે તો ક્ષાયિક ધર્મસ્થાન..ક્ષાયિક અહિંસાક્ષમા વગેરે પામનારો તો એ જ ભવમાં મોક્ષે જાય. એટલે અનેક જન્માન્તરની પરંપરા દ્વારા પ્રકૃષ્ટ ગુણને પામવાની વાત પણ અસંગત કરે... એટલે પૂર્વે જે સિદ્ધિ થયેલી છે એમાં પ્રકૃષ્ટ ગુણ નથી એ તો સ્પષ્ટ જ છે. અને તેથી ધારોકે પોતે વિવક્ષિત ગુણને ૫૦% સુધી આત્મસાત્ કર્યો હોય તો પ૦% ગુણની સિદ્ધિ છે. એ વખતે ૬૦-૭૦.... વગેરે % જેટલા ગુણની સિદ્ધિવાળા જીવો એ અધિક ગુણી ને ૪૦-૩૦ ટકા વગેરે વાળા જીવો એ હીનગુણ... તેમજ હજુ ગુણ કેળવ્યો જ ન હોય એવા બધા જીવો નિર્ગુણ. “પોતાનામાં જેટલો ગુણસિદ્ધ થયો છે એના કરતાં સામી વ્યક્તિમાં ૧૦-૨૦% વધારે ગુણ પ્રગટ થયો છે એ છદ્મસ્થ શી રીતે જાણી શકે?''આવો પ્રશ્ન ન કરવો, જેમ સુવિહિતસાધુપણાનો નિર્ણય આલયવિહારાદિ પરથી કરી યથાયોગ્ય વિનય-બહુમાનાદિ કરવાના હોય છે એમ પ્રસ્તુતમાં સામી વ્યક્તિના વાણી-વર્તાવ વગેરે પરથી એનું ગુણાધિક્ય જાણી શકાય છે. એક વિશેષ પ્રસંગે ગુણાધિક્ય જાણી શકાય છે. આ ગુણાધિક્યના નિર્ણયમાં જ્ઞાનાવરણના અપરાધ તરીકે ક્યારેક ભ્રમણા થવાથી બહુમાનાદિ અંગે વૈતથ્ય થાય તો પણ એ દોષરૂપ નીવડતું નથી. આશય એ છે કે ગુણાધિકજીવનું ગુણાધિક્ય પ્રગટ થયું ન હોવાના કારણે જાણી ન શકાયું હોય અને તેથી બહુમાન-વિનયાદિ કરવામાં ન આવે તો પણ એટલા માત્રથી ‘સિદ્ધિ દૂષિત થઈ જતી નથી. જેમકે કેવલજ્ઞાની તરીકે પ્રગટ ન થયા હોય તેવા કેવલી પ્રત્યે બહુમાનાદિન જાગવા માત્રથી અન્ય મહાત્માઓના અહિંસાદિ ધર્મસ્થાનો દૂષિત થતા નથી. એમ,
(ગુણાધિક્ય કોની અપેક્ષાઓ
(43)
43.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org