SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યસહાયકતા એ ‘કૃપા-કરુણા’ છે અને ક્વચિત્ સહાયકતા એ ‘ઉપકાર’ કહેવાય છે. અધિક પ્રત્યે વિનયાદિ, મધ્યમ પ્રત્યે ઉપકાર અને હીન પ્રત્યે કૃપા... આ ત્રણ ઉત્તરોત્તર ક્ષયોપરામના કારક છે. તેથી સિદ્ધિ માટે આ ત્રણે આવશ્યક છે. એટલે જ ગુણ સિદ્ધ થયો છે કે નહીં ? એની પરીક્ષા પણ આનાથી થઇ શકે છે. ક્રોધી પ્રત્યે દ્વેષ-દુર્ભાવના બદલે કરુણા જ ઉભરાયા કરે (તે પણ ઉભરાયા કરે. ઉભરાવવી ન પડે) તો સમજવું કે ક્ષમા સિદ્ધ થઈ છે. હીન પ્રત્યે અંદર જે કરુણા જ અનુભવાયા કરે એ ‘દયા’ છે... હીન જીવો આગળ વધે એ માટેના યથાશક્ય સંયોગ-સામગ્રી વગેરે એને પૂરા પાડવા- પડાવવા એ ‘દાન’ છે. સંયમસ્થાનમાં વસ્તુતઃ નિમ્નકક્ષાએ રહેલા એવા પણ રત્નાધિક પ્રત્યે ઉપલા સંયમસ્થાનમાં રહેલા અવમરાત્મિક વિનય-બહુમાનાદિ કરે તો એમનું સંયમ વધુ નિર્મળ જ થાય છે. કૃષિત નથી થતું. એટલે ઉપકાર-સંયમ પર્યાય વગેરે દષ્ટિએ જ ગુણાધિક લેવાના છે એવી માન્યતા પણ ગલત છે. ગુણાધિક હોવા છતાં પર્યાયમાં નાના હોય તેના પ્રત્યે પણ બહુમાન તો હોય જ. વિનયવૈયાવચ્ચ વગેરે માટે બાહ્ય વ્યવહાર જોવાનો હોય છે. એટલે બાહ્ય વ્યવહારને અનુરૂપ આસનપ્રદાનાદિરૂપ વિનય વગેરે ગુણાધિક અવમરાત્વિક પ્રત્યે કરવાના ન હોય એટલા માત્રથી સિદ્ધિ અસિદ્ધ બની જતી નથી. નહીંતર તો સંયમપર્યાયમાં નાના એવા ગુણાધિક પ્રત્યે રત્નાધિકોએ બહુમાનાદિ રાખવાની આવશ્યકતા જ ન રહે, ને તો પછી વાચના લેતી વખતે, વાચનાદાતા નાના હોય તો પણ એને વન્દન કરવાની જે સામાચારી શાસ્ત્રોમાં દર્શાવેલી છે તે અસંગત ઠરી જાય. વળી, હીનગુણ તરીકે જો પૂર્વે સ્વપ્રાપ્ત ધર્મસ્થાનની અપેક્ષાએ અધસ્તન રહેલા જીવોને કહ્યા છે, તો ગુણાધિક તરીકે પણ એની અપેક્ષાએ ઊંચે રહેલા જીવો જ વિવક્ષિત હોય એ, તથા જે ગુણમાં આગળ વધવું છે એ ગુણમાં આગળ વધેલાઓ પ્રત્યે બહુમાનાદિ જોઇએ જ (પછી ભલે સંયમ વગેરે અન્યગુણમાં એ કદાચ પાછળ પણ હોય) આ બે ને બે ચાર જેવી વાત છે. વિવક્ષિત ગુણમાં ગુરુ વગેરે કદાચ આગળ ન હોય તો પણ એટલા માત્રથી કાંઇ એમની પ્રત્યેના વિનયાદિ અસંગત બની જતા નથી, કારણકે સંયમ-ઉપકાર વગેરેની દષ્ટિએ તેઓ આગળ છે જ. અને વન્દન – ભક્તિ વગેરે બાહ્ય પ્રતિપત્તિ માટે તો વ્યવહાર સામે જોવાનું હોવાથી વ્યવહારથી જે અવિરુદ્ધ હોય તે કરવાનું હોય. માટે પ્રસ્તુત ગુણમાં જે અધિક હોય તેને જ અહીં મુખ્યતયા ગુણાધિક તરીકે વિવસ્યા છે એ વાત નિઃશંક જાણવી. 44 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા...૧ www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy