SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ *હીનજીવો કંઇક સંકટમાં મૂકાઈ જાય (અને વિદનજ્ય આશય તો હજુ તેઓએ કેળવ્યો હોય નહીં, તેથી એ ગુણની સાધનામાં સ્કૂલના આવી જાય) તો એ વખતે એનું એ સંકટ દૂર કરી પાછો એને અખ્ખલિત સાધના માર્ગે ચઢાવવો એ વ્યસનપતિત દુઃખાપહાર છે. મધ્યમ ... પોતાને લગભગ સમાન ગુણસિદ્ધિ પામેલા જીવો મધ્યમ છે. એટલે એ જીવોને પણ પ્રણિધાન, પ્રવૃત્તિ, અને વિજય આશયો પણ લગભગ સ્વસમાનકક્ષાના કેળવાયેલા હોય જ છે. ને તેથી તેઓ સ્વયં પોતાની આરાધના કરતાં જ હોય છે. પણ ક્યારેક એવી વિશેષ પરિસ્થિતિમાં એમને સહાય કરવી આવશ્યક બની હોય છે. એવા અવસરે કોઇ ઈષ્યવગેરે ભાવ આગળનઆવી સહજ સહાયતા જ કરવાનું થાય... તો સમજવું કે સિદ્ધિ આશય કેળવાયો છે. એમ તો પ્રણિધાન આશયમાં પણ પરોપકાર-વાસનાવાસિત ચિત્ત જે કહ્યું છે એમાં કૃપા-ઉપકાર અંશ ભળેલો જ હોય છે. તો એમાં ને આમાં ફેર શું? ફેર આ કે – પ્રણિધાન આશયની * અહીં પણ સમજવા જેવું છે કે હીનગુણજીવોનો કે નિણજીવોનો આમાં જ સમાવેશ છે, ને અહીં જે દયા-દાનાદિ કહ્યા છે તે એમના જ પ્રત્યે કહ્યા છે. જીવો ઘણા અલ્પગુણોવાળા હોય તો પણ ઉપકારને યોગ્ય હોય તો મધ્યમગુણમાં જ તેની ગણના છે ને તેઓ પર ઉપકાર કરવાનો છે. ને જે ઉપકારને યોગ્ય નથી તેઓ બધા હીતગુણ-નિર્ગુણ તરીકે ઉલ્લેખ પામ્યા છે, ને તેમની પ્રત્યે જે દયા વગેરે કહ્યા છે તે માત્રદ્રવ્યદ્યા વગેરે જાણવા... 'આવી બધી કલ્પનાઓ ન કરવી, કારણકે જ્યારે ગ્રન્થકાર હીન ગુણ, મધ્યમગુણ અને અધિકગુણ એમ ત્રણ વિભાગ સ્વયં બતાવે છે, ત્યારે હીન ગુણનો મધ્યમગુણમાં સમાવેશ કરી શકાય નહીં, વળી, પ્રણિધાનઆશયમાં તેઓનો અધસ્તનગુણસ્થાનવર્સી તરીકે જ ઉલ્લેખ છે ને એમના પ્રત્યેકૃપાનુગત્વ (અધઃ કૃપાનુગત્વ) દર્શાવેલું જ છે, તો સિદ્ધિઆશયમાં તેન હોવાનું ન કહેવાય. નવાઇની વાત તો એ છે કે આવી કલ્પના કરનાર પંડિતે જ પ્રણિધાન આશયમાં અધઃકૃપાનુગ' ના વિવેચનમાં ચંડરુદ્રાચાર્યના શિષ્યોમાં યોગ્યતાની વાત કરી છે ને છતાં એમનો નંબર “હીનગુણ માં જ રાખી એના પ્રત્યે કૃપાની (ભાવયાની) વાત કરી જ છે. તે અહીં એમનો નંબર હનગુણમાં ન ગણતાં મધ્યમગુણમાં ગણવાની વાત શી રીતે સ્વીકૃત બને? તથા નિર્ગુણ જીવનમાં કેટલાક યોગ્ય હોયને કેટલાક અયોગ્ય હોય એ સંભવે છે. ને તેથી અયોગ્ય પ્રત્યે દ્રવ્યયા વગેરે હોય તેમજ એની સાધના અંગે ઉપેક્ષા હોય આ ઉપેક્ષા પણ (શ્રેષાભાવરૂપે “કરુણા રૂપ કહેવાય જ, ને તેથી આને જ) તેઓની ભાવ કરુણારૂપે કહેવામાં આવે તો કોઈ હરકત નથી. પણ હનગુણજીવો તો કંઈક પણ સાધનામાં આગળ વધેલા છે, ભલે પોતાનાથી અલ્પ, પણ કંઇક ગુણ તેઓએ પણ મેળવ્યો જ છે. પછી તેઓને ( જ્ઞાનદર્શનચારિત્રેકમૂર્તિક] (45) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy