SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ परिपाट्या इच्छा-प्रवृत्ति-स्थिर-सिद्धिभेदतः = इच्छा-प्रवृत्ति-स्थिर-सिद्धिभेदानाश्रित्य मुणेयव्वोत्ति ज्ञातव्यः॥ ४॥ અવતરણિકાથે આ પ્રમાણે સ્થાનાદિયોગના સ્વામી કોણ હોય એનું વિવેચન ક્યું. હવે એ સ્થાનાઠિયોગના જ પેટાભેદો ગ્રન્થકાર જણાવે છે ગાથાર્થ વળી સ્થાનાદિમાં તે પ્રત્યેક્યોગ શાસ્ત્રીયમર્યાદા મુજબ તત્ત્વતઃ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિભેદે ચાર ચાર પ્રકારનો જાણવો. વૃત્તિઅર્થ સ્થાનાદિ અંગે પહેલાં કર્મયોગ અને જ્ઞાનયોગ એમ બે ભેદ કહ્યા હતા. એની અપેક્ષાએ આ વળી અન્ય રીતે તે સ્થાનાદિ દરેક યોગ ચાર - ચાર પ્રકારે છે. સામાન્યદષ્ટિએ સ્થાનયોગ તરીકે સ્થાનયોગ એક જ પ્રકારનો હોવા છતાં સમયની નીતિથી = સિદ્ધાન્તની નીતિથી યોગશાસ્ત્રમાં કહેલી મર્યાદાને અનુસરીને, પરમાર્થથી સ્થાનાદિ દરેક યોગ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ નામના ભેદોની અપેક્ષાએ ચાર-ચાર પ્રકારનો જાણવો. વિવેચનઃ આવરણકર્મના ક્ષયોપશમના અસંખ્યભેદો હોવાથી સ્થાનાદિ દરેક યોગના અસંખ્ય-અસંખ્ય ભેદો થઈ શકે છે. પણ યોગગ્રન્થોમાં સ્પષ્ટ તફાવતને નજરમાં રાખીને આ અસંખ્યભેદોનું ઇચ્છા વગેરે કુલ ચાર ભેદોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એને અનુસરીને અહીં પણ એનાચારભેદ જાણવા. પ્રારંભિક ક્ષયોપશમમાં સ્થાનાદિનો ઇચ્છાભેદ હોય છે. ને પછી ક્ષયોપશમ વધતાં વધતાં કમશઃ પ્રવૃત્તિ વગેરે ભેદો આવે છે, યાવત્ છેલ્લે સિદ્ધિ ભેદ આવે છે. तानेव भेदान् विवरीषुराह तज्जुत्तकहापीईइ संगया विपरिणामिणी इच्छा। सव्वत्थुवसमसारं तप्पालणमो पवत्ती उ॥५॥ तह चेव एयबाहगचिंतारहियं थिरत्तणं नेयं । सव्वं परत्थसाहगरूवं पुण होइ सिद्धित्ति ॥६॥ અવતરણિકાથઃ ઇચ્છા વગેરે તે ભેદોનું વિવરણ કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર કહે છે – યોગના ઇચ્છાદિભેદો) (85) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy