________________
અનાભોગ-સ્વાર્થધતા વગેરેના કારણે ગલત હોવાની જ લગભગ શક્યતા હોય છે. એટલે નવાંગી ગુરુપૂજન અંગે લગભગ બધા ગીતાર્થોનો જો એક અભિપ્રાય છે તો એક વર્ગ એને જે કર્તવ્ય કહે છે તે ખોટું છે એ સ્પષ્ટ છે. આવું જ અન્ય બાબતોમાં પણ જાણવું. અસ્તુ.
તમપ્યાનાં નૈવ પુણ્યતિ.. આ ઉત્તરાર્ધમાં પણ સ્થાન શબ્દ પડેલો છે એ જાણવું... સો ( ઘણા) હોય તેને જ જુએ એવો નિયમ નથી, પણ ઘણા આંધળા હોય તે ન જ જુએ એવો નિયમ છે. એમ ઘણા પણ જો શાસ્ત્રચક્ષુ વિનાના હોય તો આત્મહિતની દષ્ટિએ આંધળા જ છે, તે માટે તેઓ કરે એમ કરવું એ રીતે તેઓને અનુસરી શકાય નહીં. સામાન્યથી લોકમાં આવા જ અંધજનો હોય છે. માટે લોકનું આલંબન લઈ શકાય નહીં. એ જ
(૨) પૂર્વપક્ષીએ લોકવ્યવહારરૂપ પરંપરાને જીતવ્યવહારરૂપે લઈને અને જીતવ્યવહાર જ તીર્થવ્યવસ્થાપક છે એમ કહીને લોકવ્યવહારને અનુસરવાનું કહેલું. એનું નિરાકરણ કરવા આ યત્સવિ... શ્લોક છે.
સંવિગ્ન’ શબ્દના ઉપલક્ષણથી ‘ગીતાર્થ’ પણ લઈ લેવા. એટલે જે સંવિગ્નગીતાર્થો વડે આચરાયેલું હોય તે જીતવ્યવહાર છે. સંવિગ્નગીતાર્થો જે આચરે તે વ્યુતવાક્યોથી અબાધિત જ હોય એ પણ જાણવું (એટલે શ્લોકમાં આ કૃત... વગેરે જે વિશેષણ છે તે સ્વરૂપદર્શક વિશેષણ જાણવું, વ્યાવર્તક નહીં.) કારણકે જો વ્યુતવાક્યોથી બાધિત આચરણ કરે તો તેઓનું સંવિગ્નગીતાર્થપણું ઊભું જ ન રહે. શ્રીધર્મરત્ન પ્રકરણના વૃત્તિકારે “મૃતવાક્યોથી અબાધિત માં શ્રુતવાક્ય તરીકે કયા વાક્ય લેવા? એનું વિવેચન કર્યું છે. જે મૈથુનની જેમ સર્વથા નિષિદ્ધ નથી એ બધું મૃતવાક્યોથી અબાધિત બની શકે છે એ જાણવું.
શ્રુતાનુસારી આચરણની જેમ જીતાનુસારી આચરણ પણ આત્માની શુદ્ધિ કરનાર છે. માટે બન્ને આચરણો વિશુદ્ધ છે. એમાંથી શ્રુતવ્યવહારરૂપ આચરણમાં જેમ વ્યુતપ્રયુક્ત વિશુદ્ધિ હોય છે એમ જીતવ્યવહારરૂપ આચરણમાં (ગીતાર્થ સંવિગ્નોની) પરંપરાપ્રયુક્ત વિશુદ્ધિ હોય છે એ જાણવું. આમ, વ્યુતવાક્યોથી અબાધિત-સંવિગ્નગીતાર્થોથી આચરાયેલી પરંપરા હોય તે જીતવ્યવહાર છે, એમ નિશ્ચિત થયું. (194)
યોગવિંશિકા...૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org