SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઇષ્ટસ્થળે પહોંચી શકે છે. હિતાહિતનો સ્વયં નિર્ણયનકરી શકનારો મહાજનને અનુસરે તો હિતપ્રાપ્તિ કરી શકે છે. માટે, હિતપ્રાપ્તિના ઉદ્દેશથી મરીનનો વેન તિ:.. ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. આંધળો બીજા અંધને જ અનુસરે તો કાંઇ ગન્તવ્ય સ્થળે પહોંચી શકે નહીં. એમ હિતાહિતનો નિર્ણય ન કરી શકનારો બીજા પણ એવાને જ અનુસરે તો હિતપ્રાપ્તિ કરી શકે નહીં. તેથી જેને અનુસરવાનું છે તે મહાજન તરીકે એ જ આવી શકે જે હિત-અહિતનો નિર્ણય કરી તદનુસાર વર્તતા હોય. આત્મા અતીન્દ્રિય હોવાથી એનાં હિત અને અહિતનો નિર્ણય શાસ્ત્ર વિના થઈ શકતો નથી. (માટે તો અતીન્દ્રિય પદાર્થમાં શાસ્ત્રને દીપકની ઉપમા આપી છે. પરલોકવિધિમાં શાસ્ત્ર જ પ્રમાણ તરીકે સ્વીકાર્ય હોય છે.) માટે શાસ્ત્રવચનને અનુસરીને વર્તનારો જ પોતાનું હિત કરી શકે છે. ને એને અનુસરનારો અન્ય પણ પોતાનું આત્મહિત કરી શકે છે. તેથી, ‘શાસ્ત્રનીતિથીવર્તનારો જે હોય તે મહાજન કહેવાય એવી અહીં વ્યાખ્યા આપી છે. લોકમાં ઘણાઓ જે પ્રવૃત્તિ કરે છે તે કાંઈ શાસ્ત્રવચનને અનુસરીને કરતા નથી. માટે ઘણા લોકોનો સમુદાય એ મહાજને એવું કહી શકાતું નથી, ને તેથી તેઓ કરે એમ ચૈત્યવન્દનાદિ કરવા એમ પણ કહી શકાતું નથી. સાવધાનઃ એક ચોક્કસ વર્ગ આ શાસ્ત્રવચનનો દુરુપયોગ કરી સ્વશ્રદ્ધાળુ મુધ જીવોને છેતરે છે એવું ઘણાને લાગે છે. જેમ પૂર્વપક્ષીએ ઘણાલોકોનો સમુદાય એ મહાજન, ને તેથી ઘણા કરે તેમ કરવું’ આવી ખોટી વાત પડી છે. એમ આ વર્ગ પણ, ‘એક હોય તે મહાજન, ને ઘણા હોય તે ટોળું. માટે ઘણા કહે તે ખોટું. ને અમે તો એકલા છીએ, માટે મહાજન છીએ, ને માટે અમે કહીએતે સાચું, તેને અનુસરો...' આવી ખોટી વાત પકડી છે. વસ્તુતઃ મહાજનપણું લાવવામાં બહુત્વની જેમ એકત્વ પણ પ્રયોજકનથી જ. શાસ્ત્રનીતિનું અનુસરણ એ જ પ્રયોજક છે. અર્થાતુશાસ્ત્રનીતિને અનુસરનાર એક હોય તો પણ મહાજન છે ને અનેક હોય તો પણ મહાજન છે. એટલે આ ચોક્કસ વર્ગ જે વૃન્દને નજરમાં રાખીને આ બધા તો ઘણા છે, ઘણાઓનું તો ટોળું હોય, બહુમતી મૂર્ખાઓની હોય.. 'વગેરે કહે છે તે વૃન્દમાં સંખ્યાબંધ ગીતાર્થો હોવાથી એ “મહાજન’ હોવામાં કશો જ વાંધો નથી. તથા અજાણ અને જાણકાર બન્નેનો મત સમાન રીતે લેવાનો હોય ત્યારે બહુમતી અજાણ વ્યક્તિઓની હોવાથી ‘બહુમતી મૂર્ખાઓની હોય એમ કહી શકાય. પણ, બધા જ જાણકારો ભેગા થયા હોય ત્યારે તો બહુમતીનો જ નિર્ણય સ્વીકાર્ય બને, કોઇ એકાદનો અભિપ્રાય તો જીતવ્યવહારની વિચારણા) (1939 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy