________________
આના પર થોડી વિચારણા કરીએ -
સંવિગ્નગીતાર્થોનું જે આચરણ શ્રુતવાક્યોને અનુસરનારું હોય તે તો શ્રુતવ્યવહાર જ છે. એવા જ આચરણને જણાવવાની વિવક્ષા હોત તો જીતવ્યવહાર’ તરીકે અલગ વ્યવહાર દર્શાવવાની જરૂર જ ન રહેત. પણ એને અલગ-સ્વતન્ત્રવ્યવહાર તરીકે જણાવ્યો તો છે જ. માટે જણાય છે કે જીતવ્યવહાર તરીકે એવા આચરણો અભિપ્રેત છે જેનાં પ્રતિપાદક વચનો શાસ્ત્રોમાં મળતા ન હોય. આ જ કારણ છે કે અહીં, “જીત તરીકે અભિપ્રેત આચરણને મુતવાક્યાનુસારી’ નકહેતાં “મૃતવાક્યોથી અબાધિત’ કહ્યું છે. (એટલે ‘જીત’ તરીકે અભિપ્રેત આચરણ અંગે શાસ્ત્રવચનો મળી શકે નહીં એ સ્પષ્ટ છે, અને છતાં જ્ઞાનીઓએ એને માન્ય ક્યું છે. માટે નિશ્ચિત થાય છે કે “જીત’ તરીકે અભિપ્રેત આચરણ માટે શાસ્ત્રપાઠ હોય શકે નહીં, શાસ્ત્રપાઠ માગી શકાય નહીં, શાસ્ત્રપાઠન મળતો હોવા માત્રના કારણે એનો નિષેધ કરી શકાય નહીં, કે “એ શાસ્ત્રાનુસારી નથી, માટે એવી પરંપરા છોડી દેવી પડે, એવું આચરણ કરનારા વિરાધક છે વગેરે કહી શકાય નહીં.)
વળી, ‘મૃતવાક્યથી અબાધિત’ એવું અહીં જે કહ્યું છે તેમાં શ્રુતવાક્ય તરીકે સામાન્યનિષેધક વચનો નથી લેવાના પણ મૈથુનનો સર્વથા નિષેધ કરનાર વચન જેવા સર્વથાનિષેધક વચન લેવાના છે એ વાત શ્રી ધર્મરત્નપ્રકરણમાં કહી છે. એટલે એ પણ જણાય છે કે સામાન્યથી શાસ્ત્રોમાં નિષેધ મળતો હોય એટલા માત્રથી પણ સંવિગ્ન ગીતાર્યોએ આચરેલી આચરણાને ‘વિરાધના રૂપે કહી છોડી શકાય નહીં. (અર્થાત્ એવી આચરણા અંગે, ‘જુઓ આ આ શાસ્ત્રોમાં આનો નિષેધ ર્યો છે, માટે આ આચરણા શાસ્ત્રવિરુદ્ધ છે, એને અપનાવી શકાય નહીં વગેરે કહી શકાય નહીં.) (આ અંગે વિશેષ સ્પષ્ટતા માટે કાત્રિ દ્વાર્કિંશિકા ના મેં કરેલા ભાવાનુવાદના પ્રથમભાગના પૃ. ૭૩ પરની ટીપ્પણ જોવી.)
તથા, અત્યારે જીતવ્યવહારરૂપે જે આચરણાઓ મળે છે તેનો પ્રારંભ પૂર્વના સંવિગ્નગીતાર્થ મહાત્માઓએ જ્યારે પણ કર્યો હશે ત્યારે તેઓ પાસે તેવું આચરણ દર્શાવનારા કોઇપણ શાસ્ત્રપાઠ તો હશે નહીં, ઉપરથી ક્યારેક એનો (સામાન્યથી) નિષેધ કરનારા શાસ્ત્રવચનો પણ ઉપલબ્ધ હશે, અને તેમ છતાં તેઓએ દેશ-કાળ વગેરેને નજરમાં રાખીને એવી આચરણા કરીય ખરી, અને તત્કાલીન અન્ય (જીત વ્યવહારો
(195)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org