________________
લાંબાગાળાનું વિશેષ નુક્શાન કરી જનાર ન હોય, કે રોગ અસાધ્યકક્ષાનો બની ગયો હોય... તો તો ચિકિત્સા ન કરાવવી ... પણ સમભાવપૂર્વક સહન જ કરવો. માત્ર રોગ વધે નહીં એ માટે અપથ્યપરિહારની કાળજી લેવી. પણ જે રોગને આ શરતો લાગુ પડતી ન હોય એની ચિકિત્સા કરી આરાધનાને પૂર્વવત્ અખલિત બનાવવી.
(3) અસાધ્યરોગની દવાન કરાવવાની હોય ત્યારે, અથવા દવા કરવા છતાં રોગ ન મટે ત્યારે, કે દવાથી રોગ મટવાનો હોય પણ મટતાં વાર લાગવાની હોય ત્યારે રોગ, એની વેદના વગેરે તો ચાલુ જ રહે છે. એ ચાલુ રહેવા છતાં, સાથે સાથે આરાધના પણ ચાલુ રહે એ માટે આ રોગ વગેરે પરિષહો મારા સ્વરૂપના બાધક નથી, માત્ર દેહને જ અસર કરનારા છે તથા પૂર્વકૃત કર્મોના કારણે રોગ આવ્યો છે, એને સમભાવે સહન કરીશ તે કર્મની વિપુલ નિર્જરા થશે. ને સાથે આરાધના પણ ચાલુ રાખીશ તો તો ખૂબ જ વિશિષ્ટ પ્રકારે નિર્જરા થશે... વગેરે ભાવનાથી આત્માને ભાવિત કરતાં રહેવું. એ રીતે ભાવિત થવાથી રોગની વેદના વચ્ચે પણ સાધના અખલિતપણે ચાલુ રહેવાથી મધ્યમવિધ્વજય થાય છે.
વૃત્તિગ્રન્થમાં મધ્યમવિદનજ્યના આ ત્રણ ઉપાયોમાંથી પ્રથમ અને તૃતીય ઉપાયનો ઉલ્લેખ છે, ને ચન્તયોને મધ્યમચાપિ પ્રહામ્ ન્યાયે બીજા ઉપાયનું ગ્રહણ જાણવું. આમાંના કોઈ પણ ઉપાય દ્વારા વિપ્નનું કરેલું અપાકરણ ધર્મની સમ્યઆરાધના માટે સમર્થ છે. વસ્તુતઃ ધર્મઆરાધના માટે વિદ્ધના નિરાકરણવાળો સાધક સમર્થ બને છે, વિપ્નનું નિરાકરણ પોતે નહીં. છતાં, અભાવ અને અભાવવાનું (=અભાવના અધિકરણ) નો અભેદ માનનારા નયે (અર્થાત્ અભાવને અધિકરણસ્વરૂપ માનનારા નયે) બન્નેનો અભેદ કરી અહીં નિરાકરણને જ સમર્થ કહ્યું
છે તે જાણવું.
यथा च तस्यैवाध्वनि जिगमिषोर्दिमोहविघ्नोपस्थितौ भूयोभूयः प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः स्यात्, तद्विजये तु स्वयमेव सम्यग्ज्ञानात् परैश्चाभिधीयमानमार्गश्रद्धानात् मन्दोत्साहतात्यागेन विशिष्टगमनसम्भवस्तथेहापि मोक्षमार्गे दिग्मोहकल्पो मिथ्यात्वादिजनितो मनोविभ्रमो विघ्नः, तज्जयस्तु गुरुपारतन्त्र्येण मिथ्यात्वादिप्रतिपक्षभावनया (?वा) मनोविभ्रमापनयनादनवच्छिन्नप्रयाणसम्पादक इत्ययं (दिग्)मोहविघ्नजयसम उत्तमस्तृतीयो विघ्नजयः। [36]
યિોગવિંશિકા ...)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org