SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિઅર્થ: માર્ગમાં ગમન કરવાની ઇચ્છાવાળા તે પથિકને જ જો દિગ્મોહ વિન ઉપસ્થિત થઈ જાય તો (અર્થાત્ પૂર્વદિશામાં જવાનું હોય પણ પૂર્વદિશામાં પશ્ચિમદિશાનો ભ્રમ થઈ જાય તો) બીજા પથિકો વારંવાર પ્રેરણા કરે કે ચાલ ભાઈ! ચાલ, કેમ અટકી જાય છે?’ તો પણ ચાલવાનો ઉત્સાહ જાગતો નથી. (એટલે કે આ દિગ્મોહ એના ગમનમાં વિઘ્નરૂપ બન્યો.) પણ જો આ વિM પર વિજય મેળવવામાં આવે (અર્થાત્ બ્રાન્તિ દૂર કરવામાં આવે તો પોતાને જ (આ પૂર્વ દિશા જ છે...કે આ માર્ગ જ મારા ગન્તવ્ય સ્થળે મને લઈ જશે. આવું) સમ્યગ્રાન થવાથી તેમજ બીજા પથિકો વડે કહેવાતા આ માર્ગની જ શ્રદ્ધા થવાથી મન્ટોત્સાહતાનો = ઉત્સાહની મંદતાનો ત્યાગ થવાના કારણે વિશિષ્ટ ગમન સંભવિત બને છે. તે જ રીતે પ્રસ્તુતમાં મોક્ષમાર્ગ પર મિથ્યાત્વાદિજનિત મનોવિભ્રમ એ દિગ્મોહ સમાન વિદન છે. આ વિદ્ગ પરનો વિજય, ગુરુપારતન્યદ્વારા કે મિથ્યાત્વાદિની પ્રતિપક્ષભાવનાથી મનનો ભ્રમ દૂર થવાના કારણે અનાવચ્છિન્ન = અખ્ખલિત પ્રયાણ કરાવનારો બને છે. માટે એ દિગ્બોહવિષ્મ પરના જયને તુલ્ય એવો ત્રીજો ઉત્તમ વિનય છે. વિવેચનઃ પરિસ્થિતિવશાત્ કોઇના ઉંધા ભરમાવવાથી મનમાં આરાધના અંગે ઊઠતી ભ્રાન્તિઓ એ આ દિગ્બોહવિષ્મ છે. મનમાં ભ્રમણાઓ ઘુસે એટલે આરાધનામાં સ્કૂલનાઓ આવે જ. એટલે એ ભ્રમણાઓ દૂર કરવી-મનને ભ્રાન્તિશૂન્ય બનાવવું એ દિગ્મોહ વિનય છે. *ગુરુપાતત્ય અને મિથ્યાત્વાદિપ્રતિપક્ષભાવના દ્વારા આ દિગ્ગો પર વિજય મેળવવો જોઇએ. સંસારનો ક્યારેય પ્રારંભ નહીં? જીવો મોક્ષે જવાના તો ચાલુ છે. તો ક્યારેક તો બધા ભવ્યોનો મોક્ષ થઈ જ જાય ને!.. ભગવાને નિગોદમાં અનંતા જીવો કહ્યા *અહીં ગુરુપારતત્ર્ય અને મિથ્યાત્વાદિપ્રતિપક્ષ ભાવના.. આ બન્ને વિધ્વજ્યના સ્વત–હેતુઓ છે. એટલે ગુરુપરતન્નતાદ્વારા પ્રતિપક્ષભાવના... અને એનાથી મનોવિભ્રમનો અપગમ... આવો અર્થન લેવો. કારણકે પોતાના મનમાં ભ્રાન્તિ થવા છતાં, અને પોતે કોઇ પ્રતિપક્ષભાવના ભાવી ન હોવા છતાં, ગુરુપારતવ્ય હોય, એટલે ગુરુમહારાજ સાચી વાત જણાવે ત્યારે કોઈ દલીલ ન કરતાં, : ‘ગુરુમહારાજ (ગીતાર્થ મહાત્મા) કહે છે તે સાચું..' એમ સ્વીકારી લેવાથી ભ્રાન્તિ દૂર થઈ જાય છે, ને આરાધના અખ્ખલિત ચાલુ રહે છે, માટે સીધો ગુરુપારતત્ર્ય દ્વારા વિનજ્ય સંભવિત છે. એમ ગુરુની વિદ્યમાનતા ન હોય વગેરે અવસરે માત્ર પ્રતિપક્ષભાવનાથી પણ મનોવિભ્રમ દૂર થઈ જ શકે છે. ગુરુની અવિદ્યમાનતામાં મનોવિભ્રમો ઊભા જ રહે એવું માની શકાય નહીં. વળી દષ્ટાન્તમાં (ઉત્કૃષ્ટવિનય (37) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy