________________
છે. સોયના અગ્રભાગ જેટલા ક્ષેત્રમાં પણ અનંતા જીવો શી રીતે રહે?’ આવા બધા મિથ્યાત્વાદિજન્ય ભ્રમ એ દિગ્ગોવિદન છે. એની સામે રાગ-દ્વેષ અને મોહ (અજ્ઞાન) થી પર થઈ ગયેલા ભગવાને અસત્ય બોલવાનું કોઈ કારણ નથી. એટલે તે જ નિઃશંક સત્ય છે જે મારા પ્રભુએ કહ્યું છે. મારો ક્ષયોપશમ મંદ છે, માટે મને પણ. (પ્રતિપક્ષભાવનાના દષ્ટાન્ત તરીકે) સ્વયં સમ્યજ્ઞાન અને (ગુરુપારતત્ર્યના દષ્ટાન તરીકે) પરોક્તમાર્ગની શ્રદ્ધા એ બન્નેને મનોવિભ્રમના નિરાકરણના સ્વતંત્ર કારણો તરીકે કહ્યા છે. તેથી દાર્શન્તિકમાં પણ બે સ્વતન્ત્રકારણો તરીકે લેવા જોઇએ. અને એ માટે વૃત્તિમાં મિથ્યાત્વાતિપ્રતિપક્ષવિનય એટલો જ અંશ છે તેના પછી વા (કેવ) ઉમેરવો આવશ્યક છે. # અહીં ‘મિથ્યાત્વાદિજન્ય કહ્યું છે. માત્ર મિથ્યાત્વજ” એમ નહીં. આદિ શબ્દથી જ્ઞાનાવરણાધિજન્ય ભ્રાન્તિઓ પણ લેવી. તેથી, જીવ છેવટે આકર્ષથી પણ મિથ્યાત્વે જાય તો જ આ વિઘ્ન ઉપસ્થિત થાય એવું માનવાની કશી જરૂર નથી. સ્વાધ્યાયની પ્રધાનતાના કાળમાં, કોઈકને જ્ઞાનાવરણના ઉદયે તપની પ્રધાનતા ભાસી જાય તો એટલા માત્રથી કાંઇ મિથ્યાત્વનો ઉદય થઈ જ જાય એવું નથી. ને છતાં સ્વાધ્યાય અંગે દિગ્યોહ તો છે જ. આનો જે ત્રીજા વિપ્નમાં સમાવેશ નહીં કરીએ તો ક્યા વિપ્નમાં સમાવેશ કરશું? સમાવેશ કરવો તો પડે જ, કારણકે સ્વાધ્યાયમાં સ્કૂલના થાય જ છે. પછી સ્વયં આય-વ્યયનો વિચાર કરીને કે ગુરુપારતત્ર્ય દ્વારા ('ગુરુમહારાજ સ્વાધ્યાય પર જોર આપવાનું કહે છે, તો મારે હવેથી એ જ કરવું...') સમ્યગૃનિર્ણય પર આવે કે હાલ મારે સ્વાધ્યાય જ કર્તવ્ય છે... એટલે વિધ્વજ્ય, એ જ સ્વાધ્યાયને અખલિત બનાવી શકે. વળી,
માનસિક ભ્રમણારૂપ દિગ્બોહવિબમિથ્યાત્વજન્ય હોવાથી મિથ્યાત્વીને જ હોય શકે, સમ્યક્વીને નહીં. આવુંજોમાનવાનું હોય તો પાત વગરનાક્ષાયોપથમિકસમ્યવીને કે ક્ષાયિકસમ્યક્વીને દીક્ષા પછી ગીતાર્થ ગુરુના પારતવ્યની આવશ્યક્તા જ નહીં રહે, તેમજ આચારપ્રતિપાદક ગ્રન્થોનું અધ્યયન કરવાની પણ આવશ્યકતા જ નહીં રહે, કારણકે ક્યારે કઈ આરાધના કરવી વગેરે અંગે એને ક્યારેય કશો ભ્રમ થવાની શક્યતા જ નથી. એ સમ્યગૃનિર્ણયપૂર્વક સ્વયં જ આરાધના કરતો રહેવાનો છે. અને ખરેખર જો આવું હોય તો, શ્રી આચારાંગજીમાં ‘દેસી પાસપાસ સ્થિ’ આવું જે વચન આવે છે, એમાં પાસગસ્સનો અર્થ કેવલજ્ઞાની ન કરત, પણ ‘ક્ષાયિકસમ્યકત્વી કરત. આ સૂત્રનો અર્થ એવો છે કે તે તે પ્રકરણમાં જે કાંઈ વિધિ-નિષેધ બતાવેલા છે તે સર્વજ્ઞ માટે નથી.’ આનો સીધો અર્થ છે કે અસર્વશ જે કોઈ હોય ક્ષાયિક સમ્યકત્વી કે અક્ષાયિકસમ્યક્વી.. બધા માટે આ શાસ્ત્રવચનો છે જ. અને તેથી બધાએ એનું અધ્યયન કરવું જ પડે.
વળી આ પંક્તિઓનો રહસ્યાર્થ એવો નથી કે એ પામવા માટે જાતજાતની કલ્પનાઓ કરવી પડે. ને બહુ સૂક્ષ્મવાતો છે. સૂર્મપ્રજ્ઞા વિનાનજ પદ્ધી શકાય.. એવું પણ માનવાની કોઈ જરૂર નથી. એ નિરર્થક ક્લિષ્ટકલ્પનાઓમાં તાણી જાય છે. ને ગ્રન્થકારના અભિપ્રેત અર્થથી દૂર તાણી જાય છે. (38)
યિોગવિંશિકા.....૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org