SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ છોડી દેવાની સલાહ આપી નથી....) ઉપરથી કોઇ ભૌતિક અપેક્ષાનો ઉપાય પૂછવા આવ્યું હોય ત્યારે ગીતાર્થ મહાત્માએ એ માટે પણ એને ધર્મ જ કરવાનો ઉપદેશ આપ્યો હોય એવા ઢગલાબંધ દૃષ્ટાન્તો મળે છે... તથા ‘જો તમે ધનઋદ્ધિને ઇચ્છો છોતો તમે પ્રભુપૂજા કરો... ’આવા ઢગલાબંધ ઉપદેશવચનો મળે છે... આવા આખા શ્રુતસાગરનો વિરોધ થાય એ રીતે યોગગ્રન્થોના વચનોનું વિવેચન કરવું એ કોઇપણ સુજ્ઞને માન્ય ન જ ઠરે. વળી, શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યોગગ્રન્થોમાં આ જે સ્થાનાદિપ્રયત્ન શૂન્યજીવનું અનુષ્ઠાન (=અવિધિવાળું અનુષ્ઠાન) નિષ્ફળ કે વિપરીતકલક કહ્યું છે તે પણ તેમજ વિષાનુષ્ઠાન વગેરેનું જે નિરૂપણ કર્યું છે તે પણ શ્રોતાવર્ગ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનને ત્યાજ્ય માનીને છોડી દે એ માટે નહીં, પણ સ્થાનાદિપ્રયત્નશૂન્યતા (અવિધિ) કે ભૌતિકઅપેક્ષા વગેરેને એ ટાળે એ માટે જ. નહીંતર તો અનુષ્ઠાનને ત્યાજ્ય માનીને વર્તમાનમાં છોડી દે... એટલે હવે ભવિષ્યમાં જ્યારે એને ફરીથી ધર્મમાં જોડવાનો પ્રસ્તાવ આવશે ત્યારે, ‘જો તમે ધનઋદ્ધિ ઇચ્છો છો તો તમારે પ્રભુપૂજા કરવી જોઇએ...’ વગેરે રૂપે ઉપદેશ આપવો આવશ્યક બને ય ખરો ! ને એ રીતે એને ભૌતિક અપેક્ષાવાળા ધર્મમાં જોડવાનું થાય. તે પણ એટલા માટે કે નાણપંચમી હાઓમાં કહ્યું છે કે ઘણું ખરું જીવો સનિદાન (સાભિષ્યંગ) વ્રત-નિયમમાંથી અનિદાન (નિરભિષ્યંગ) વ્રત-નિયમમાં આવે છે. એમ પ્રારંભે લગભગ ઇચ્છાયોગ હોય છે જેમાં યથાઉલ્લાસ સ્થાનાદિનું પાલન હોય છે, બાકીના અંશમાં અવિધિ પણ હોય છે. અર્થાત્ પ્રારંભે લગભગ અવિધિવાળો ધર્મ હોવાની શક્યતા હોય છે. એટલે જો એને સાભિષ્યંગ (કે અવિધિયુક્ત) એવા ધર્મમાં પુનઃ જોડવાનો જ છે, તો એવો ધર્મ પૂર્વે જે હતો તે છોડાવ્યો જ શા માટે ? પાપ છોડાવી ધર્મમાં જોડવો ને પછી અપેક્ષા (અવિધિ) છોડાવી નિરપેક્ષ (વિધિપૂર્ણ) ધર્મમાં જોડવો આમ બે પગથિયા સામાન્યથી હોય છે. જે ભૌતિક અપેક્ષાવાળું (=સાભિષ્યંગ) કે કંઇક અવિધિવાળું અનુષ્ઠાન કરે છે એ એક પગથિયું તો ચડી જ ગયો છે. ‘તું હમણાં બીજા પગથિયા પર નથી ચડતો તો જા પહેલું પગથિયું પણ ઉતરી જા’ આવી સલાહ એને કોઇ સુજ્ઞ પુરુષ ન આપે એ સ્પષ્ટ છે. કારણકે નીચે ઉતાર્યા પછી ભવિષ્યમાં જ્યારે બીજે પગથિયે પહોંચાડવાનો છે ત્યારે પુનઃ 150 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા.....૧૨ www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy