________________
પ્રવૃત્તિ કરતાં વિરુદ્ધ પ્રણિધાન પ્રવૃત્તિમાં અરુચિ ઊભી કરે છે, ધીમે ધીમે પ્રવૃત્તિને છોડાવે છેને એ રીતે પ્રવૃત્તિનું બાધકને નાશક બને છે. આ વાત પણ ઔદયિક નેક્ષાયોપથમિક બન્ને ભાવો માટે છે. જ્ઞાનોપાર્જન વગેરે ક્ષાયોપથમિક ભાવની પ્રવૃત્તિ છે. પણ એશઆરામ વગેરેનું પ્રણિધાન ઊભું થઈ જાય તો એમાં ખામી આવવા માંડે જ. ને ક્ષાયોપથમિકભાવ ધીમે ધીમે ઔદયિકભાવમાં પરિણમવા માંડે.
અવિરતસમ્યક્તીને અવિરતિની પ્રવૃત્તિ ઔદયિકભાવ છે. છતાં, રત્નત્રયીના પ્રણિધાનરૂપ ભાવસભ્યત્વ અવિરતિને કમશઃ ખસેડી ક્ષાયોપથમિકભાવાત્મક ચારિત્રને ખેંચી લાવે છે.
ક્યારેક પ્રમાદાદિવશાત્ પ્રણિધાનથી વિપરીત પ્રવૃત્તિ થાય તો પણ એટલા માત્રથી પ્રણિધાન ચાલ્યું જ જાય એવું નથી. જેમ ક્ષમાના સાધકે ક્રોધને નિષ્ફળ કરવાની ઉદયનિરોધ, ઉદયવિકલીકરણ કે ઉદયાનન્તર પશ્ચાત્તાપ એમ ત્રણ રીત છે. એમ પ્રણિધાન અંગે જાણવું. સ્વાધ્યાયનો અવસર છે, પણ વાચાળ વ્યક્તિ વાતોનો પ્રારંભ કરવાની ભૂમિકા કરી રહી છે. (૧) પોતાના મનમાં વાતોએ વળગવાની ઇચ્છા જ ન જાગે. આ પલિમન્થનો અનુદય (ઉદયનિરોધ) છે. (૨) આકર્ષક વાતો સાંભળવાની ઈચ્છા પેદા થઈ જાય-રસ જાગ્રત થાય... પણ “સ્વાધ્યાય ઘવાશે આ નજરમાં રમાડવા દ્વારા ઇચ્છાને વશ ન થાય... ને સ્વાધ્યાય અખંડ રાખે... આ ઉદયપ્રાપ્ત પલિમથને નિષ્ફળ ર્યો કહેવાય. (૩) વાતોના રસને વશ થઈ થોડી વાતો કરી લીધી. સ્વાધ્યાયની હાનિ થઈ... છતાં પાછળથી પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત કરવામાં આવે, વાતોમાં ગયેલા સમય જેટલો અધિક સ્વાધ્યાય વાળી આપવામાં આવે તો એ ઉદયાનન્તર પશ્ચાત્તાપ કહેવાય. આ પણ પલિમન્થને નિષ્ફળ કરે છે. કારણકે પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપના કારણે સ્વાધ્યાયના રસની હાનિ થતી નથી.
પણ વારંવાર જો પ્રણિધાનથી વિપરીત પ્રવૃત્તિ કર્યા કરવામાં આવે તો પાછળનો પશ્ચાત્તાપ કુંભારના મિચ્છામિદુક્કડે જેવો થવાની સંભાવના હોવાથી પ્રણિધાન પણ ઘસાવા માંડે એ જાણવું.
(૫) પ્રણિધાનનો એક વિશિષ્ટ પ્રભાવ એ છે કે સાધનામાં આવતા વિનો પર વિજય મેળવવાનું ને એના દ્વારા સાધનાને અસ્મલિત રાખવાનું બળ મળ્યા કરે
[20]
યોગવિંશિકા...૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org