SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારની અપેક્ષાએ સ્થાનયોગરૂપ પણ હોય શકે છે, કે ઊર્ણ યોગરૂપ પણ સંભવી શકે છે કે અર્થયોગરૂપ હોવો પણ રાક્ય છે. આને જ બીજી રીતે કહીએ તો સ્થાનયોગ અમુક માત્રા સુધી વિકસ્યો હોય તો અધ્યાત્મયોગરૂપ છે, એનાથી વધારે માત્રા થાય ત્યારે ભાવનાયોગરૂપ છે. આ જ પ્રમાણે ઊર્ણ અને અર્થ માટે પણ જાણવું. (૩) અધ્યાત્મયોગ દેવસેવા, જપ, તત્ત્વચિન્તન વગેરે અનેક પ્રકારે સંભવે છે. દેવસેવા (દેવપૂજા) મુખ્યતયા કાયિકી પ્રવૃત્તિ છે, માટે એનો સ્થાનયોગમાં સમાવેશ થાય છે. જાપ મુખ્યતયા વાચિક છે. માટે એનો ઊર્ણયોગમાં સમાવેશ છે. તત્ત્વચિન્તન માનસિક પ્રવૃત્તિરૂપ છે, અર્થ પણ સૂત્રોના અર્થ વિચારતા જવારૂપ હોવાથી માનસિક છે. તેથી તત્ત્વચિન્તનનો અર્થયોગમાં સમાવેશ થાય છે. આમ અહીં કાયિક વગેરેના દેવસેવા વગેરે એક-એક આચારનો ઉલ્લેખ કર્યો છે. આદિ શબ્દથી સાધુ-શ્રાવકનો અન્ય ધર્મઆચાર પણ સમજી લેવો. એટલે કે એ પ્રારંભિકકક્ષામાં હોય ત્યારે અધ્યાત્મયોગરૂપ જાણવો... એમાં અમુકમાત્રાથી વધારે પ્રગતિ થાય, અને એ વિશેષ પ્રકારે ચિત્તવૃત્તિનિરોધ સહિત ઉત્તરોત્તર વર્ધમાન બનતો જાય એવી અવસ્થામાં પહોંચે ત્યારથી ભાવનાયોગરૂપ જાણવો. બીજી રીતે, જેમાં મુદ્રા વગેરે કાયિકી ધર્મપ્રવૃત્તિની મુખ્યતા હોય તે સ્થાનયોગરૂપ જાણવો. એમ વાચિકી ને માનસિક પ્રવૃત્તિની મુખ્યતા જેમાં હોય તે ક્રમરાઃ ઊર્ણયોગને અર્થયોગરૂપ જાણવા. આ દેવસેવા વગેરેમાં પ્રણિધાન વગેરે આશયો તો ભળેલા હોવા જ જોઇએ. તો જ એ અધ્યાત્મ વગેરે યોગસ્વરૂપ બને, અન્યથા નહીં – આ વાત સર્વત્ર જાણવી. (૪) જેનો વારંવાર અભ્યાસ (ભાવના) કરવાનો હોય તે ભાવ્ય કહેવાય. અર્થાત્ અહીં દેવસેવા વગેરે ભાવ્ય છે, માટે ભાવનાયોગનો પણ સ્થાનાદિમાં જ અન્તર્ભાવ છે. આમાં એ પણ સમજવા જેવું છે કે પહેલાં દેવસેવા શરુ કરી... અભ્યાસ વધતાં એ અધ્યાત્મયોગમાંથી ભાવના યોગમાં આવી ગઈ, ને એ દરમ્યાન જાપ નવો શરુ કર્યો. તેથી એ હજુ અધ્યાત્મયોગની કક્ષામાં જ હોય એવું સંભવિત છે. અર્થાત્ એક અનુષ્ઠાન ભાવનાયોગની કક્ષાનું થઈ જાય તો અન્ય અનુષ્ઠાનો પણ ભાવનાયોગની કક્ષાવાળા જ હોય એવો નિયમ નથી. એટલું ખરું કે એક સાધનાના અભ્યાસક્રારા સાધેલો વિકાસ અન્યસાધનામાં અલ્પપ્રયાસે પણ વિકાસ થઈ જાય એવી ભૂમિકા ઘડી આપવાની ખૂબ શક્યતા ધરાવે છે. 76 Jal Education International For Private & Personal Use Only યોગવિંશિકા....૩) annembrary-org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy