________________
આના પર વિચાર કરીએ તો જણાય છે કે જેણે પ્રણિધાન અને પ્રવૃત્તિઆરાય કેળવ્યા હોવા છતાં હજુ વિઘ્નજય આશય કેળવ્યો નથી અને તેથી જે સાપાયયોગવાળો છે તેના ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન નિરનુબન્ધ હોય છે. બીજી બાજુ યોગવિંશિકા ગ્રન્થની પ્રથમ ગાથાની વૃત્તિમાં ‘પ્રણિધાનાદિ આશયથી પુષ્ટિ-શુદ્ધિમત્ ચિત્ત સાનુબન્ધ થાય છે’ એમ જણાવી સાનુબન્ધતાનો ઉલ્લેખ કર્યો છે. તો વાસ્તવિકતા શું ?
‘વિનિયોગ થયે જે અન્વય = અવિચ્છેદભાવરૂપ સાનુબન્ધતા જણાવી છે એ જ મુખ્ય સાનુબન્ધતા છે, પ્રણિધાન – પ્રવૃત્તિ આશયવાળાને એવી વિશિષ્ટ સાનુબન્ધતા ન હોવાથી નિરનુબન્ધતા કહેવામાં વિરોધ રહેતો નથી’’ આ રીતે જો સંગતિ કરવામાં આવે તો વિધ્વજય અને સિદ્ધિ આશય પામેલાને પણ નિરનુબન્ધતા જે માનવી પડે તેનો વિરોધ થશે. કારણ કે વિઘ્નજય આશય કેળવાઈ ગયો છે, એટલે કોઇ ‘અપાય’ ‘અપાયભૂત’ ન રહેવાથી અનપાયયોગ થવાના કારણે સાનુબન્ધતા પણ માનવી પડે છે.
આવા પ્રશ્નો ઊભા ન થાય એ માટે આવી સંગતિ કલ્પી શકાય છે –
વિઘ્નજયઆશય કેળવ્યો ન હોવાના કારણે જે સાપાયયોગી છે એવા જીવને પણ પ્રણિધાન-પ્રવૃત્તિ આશય કેળવ્યા હોવાથી યોગવિંશિકાનુસારે સાનુબન્ધતા છે. અને તેથી જ્યાં સુધી વિધ્ન ન આવે ત્યાં સુધી ઉત્તરોત્તર પરંપરા ચાલે છે. અર્થાત્ ઉત્તરોત્તર અનુષ્ઠાન આસેવન થયા કરે છે.... તથા ઉપર ઉપરના આરાયની પ્રાપ્તિ તેમજ પ્રાપ્ત આશયની ઉત્તરોત્તર પ્રબળતા-નિર્મળતા થયા કરે છે. પણ વિઘ્ન ઉપસ્થિત થવા પર, એના અનુબંધો પણ નાશ પણ પામે છે અને યોગમાર્ગથી ભ્રષ્ટતા પણ થાય છે, કારણકે વિઘ્નજયઆશય કેળવાયો નથી. આમ એના અનુબંધો જે નાય છે, એના કારણે એના અનુષ્ઠાન (યોગબિન્દુ અનુસારે) નિરનુબન્ધ પણ કહી શકાય છે.
કેટલીક વિરોષ વિચારણા -
જેટલી માત્રામાં વિઘ્નજય આશય કેળવાયો હોય એના કરતાં અધિક તીવ્ર વિઘ્નને ઉપસ્થિત કરી આપે એવું નિરુપક્રમ કર્મ સત્તામાં હોય તો જ એ જીવ સાપાયયોગી ઠરે.
સાપાય-નિરપાયયોગી
Jain Education International
For Private & Personal Use Only
131
www.jainelibrary.org