________________
વિધ્વજય આશય કેળવાયો ન હોય એવા પણ બધા જ જીવો સાપાયયોગી હોય એવો નિયમ નથી, કારણ કે એમાંના પણ જે જીવોને સહજ રીતે જ સત્તામાં નિરુપમ કર્મન હોય તો એ નિરપાયયોગી જ છે.
સિદ્ધિઆશય પછી પણ વિનિયોગઆશયદર્શાવ્યો છે. અને ઉત્કૃષ્ટધર્મસ્થાન સુધીની અવધ્યતા વિનિયોગ થયે કહી છે, સિદ્ધિ થયે નહીં. એટલે જણાય છે કે સિદ્ધિ આશય કેળવાયા બાદ પણ, જો હજુ વિનિયોગઆશય ન કેળવાયો હોય તો વધ્યતા પણ સંભવિત છે, અર્થાત્ માર્ગભ્રંશ સંભવિત છે, એટલે કે સિદ્ધિઆશય પામેલા સાધકો પણ સાપાયયોગી હોવા સંભવિત છે. પણ વિનિયોગઆશય પામનાર તો નિરપાયયોગી જ હોય એમ સમજાય છે.
ગીતાર્થબહુશ્રુતોને આ અંગે પૂર્વાપર અવિરુદ્ધ પુખ્ત વિચારણા કરવા વિનંતી.
'इतरेषां अर्थालम्बनयोगाभाववतामेतत् चैत्यवन्दनसूत्रपदपरिज्ञानं स्थानादिषु यत्नवतां = गुरूपदेशानुसारेण विशुद्धस्थानवर्णोद्यमपरायणानामालम्बनयोगयोश्च तीव्रस्पृहावतां परं = केवलं श्रेयः, अर्थालम्बनयोगाभावे वाचनायां पृच्छनायां परावर्तनायां वा तत्पदपरिज्ञानस्यानुप्रेक्षाऽसंवलितत्वेन ‘अनुपयोगो द्रव्यम्' इति कृत्वा द्रव्यचैत्यवन्दनरूपत्वेऽपि स्थानोर्णयोगयत्नातिशयादर्थालम्बनस्पृहयालुतया च तद्धत्वनुष्ठानरूपतया भावचैत्यवन्दनद्वारा परम्परया स्वफलसाधकत्वादिति भावः ॥ ११॥
વૃત્તિઅર્થઃ ઇતરજીવોને = અર્થ-આલંબનયોગના અભાવવાળા જીવોને આ ચૈત્યવન્દનસૂત્રોના પદનું પરિજ્ઞાન (જો તેઓ) સ્થાનાદિમાં પ્રયત્નશીલ હોય તો, અર્થાત્ ગુરુના ઉપદેશને અનુસરીને વિશુદ્ધસ્થાન-વર્ણમાં ઉદ્યમતત્પર હોય અને અર્થયોગ-આલમ્બનયોગની તીવ્રસ્પૃહાવાળા હોય તો માત્ર શ્રેયસ્કર જ બને છે. કારણકે અર્ધયોગ અને આલમ્બનયોગના અભાવમાં, વાચના-પૃચ્છનાકે પરાવર્તના દરમ્યાનતત્પદનું ચૈત્યવન્દસૂત્રના પદોનું જે પરિજ્ઞાન હોય છે તે (અર્થ- આલંબનયોગ ન હોવાથી) અનુપ્રેક્ષાથી સંકળાયેલું ન હોવાના કારણે અનુપયાગો દ્રવ્યમ્ એ ન્યાયે એ દ્રવ્યચેત્યવન્દન રૂપ હોવા છતાં સ્થાનયોગ અને ઊર્ણયોગમાં પ્રવર્તતા યત્નાતિશયના કારણે તેમજ અર્ધયોગ અને આલંબન યોગની સ્પૃહાલુતાના કારણે આ ચેત્યવન્દન તકૅતુ અનુષ્ઠાનરૂપ બને છે અને તેથી એ પરંપરાએ ભાવચૈત્યવન્દન દ્વારા સ્વફળસાધક બને છે, (માટે શ્રેયસ્કર છે.) (132)
યોગવિંશિકા.....૧૦-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org