________________
અટકાવે છે અને તેથી સિદ્ધિ તરફની ગતિમાં અલના થાય છે. પ્રવૃત્તિની વારંવાર થતી આવી અલના પ્રવૃત્તિઆશયનો નાશ કરે છે. પ્રવૃત્તિ આશયનો નાશ થયા પછી પ્રણિધાન આશયને જાળવી રાખવો એ ખૂબ કપરું કામ બની જાય છે. એટલે જ સંયમ પાળીને દેવલોકમાં ગયેલા પણ કેટલાય ભવ્યાત્માઓ સર્વવિરતિના પ્રણિધાસ્વરૂપ સમ્યક્તને જાળવી રાખવામાં સફળ બનતા નથી.
ચિત્તનું વક્તવ્ય કરનારી બાબતો ત્રણ છે. ઉપાધિ, વ્યાધિ અને માનસિકભ્રમણાઓ સ્વરૂપ આધિ. કોઈ પણ ક્ષેત્રમાં, પ્રવૃત્તિમાં સ્કૂલનાલાવનારા પરિબળો આ ત્રણ છે. આને સમજાવવા માટે જ્ઞાનીઓ પથિકનું દષ્ટાન્ત આપે છે.
ગન્તવ્યસ્થળે પહોંચવા માટે પ્રસ્થિત થયેલા પથિકને માર્ગમાં કાંટા-કાંકરા વગેરે આવે, શરીર જવરાત્રિરોગથી ગ્રસ્ત થાયકે પોતાને દિગ્મોહ થાય (અર્થાત્ દિશાનો નિર્ણય કરવામાં ભ્રાન્તિ થાય કે સંદેહ પડે) તો એની ગતિમાં અલના આવે છે. માટે કાંટા, રોગ અને દિગ્મોહ આમ ત્રણ પ્રકારના વિઘ્નો વિશિષ્ટગતિના બાધક બને છે. કાંટા વગેરેને દૂર કરવા દ્વારા; રોગ થાય જ નહીં એવી સાવધાની રાખવાથી કે રોગ થવા પર ચિકિત્સા-ભાવના વડે એની અસરથી મુક્ત રહેવા દ્વારા; તથા દિગ્મોહ થયો હોય તો સ્વયં સમ્યગૃનિર્ણય કરીને કે શ્રદ્ધેય માર્ગદર્શકનું માર્ગદર્શન લઈને ભ્રાન્તિ-સન્ડેહને દૂર કરવા દ્વારા ગતિ પૂર્વવત્ અસ્મલિત થઈ શકે છે. ગતિને અખલિત રાખવા માટે આ જે જે કરવું પડે છે, તે તે વિઘ્ન પરનો વિજય છે.
આમાંથી દિમોહ એચિત્તમાં નિર્માણ થયેલી વિષમતા છે, માટે એને આધિ રૂપ કહી શકાય. જવરાદિરોગ એ શરીરમાં પેદા થયેલી પ્રતિકૂળતા છે, માટે વ્યાધિ છે. કાંટા-કાંકરા વગેરે, શારીરિક કે માનસિક પરિબળો નથી, પણ બાહ્ય પરિબળ છે, માટે ‘ઉપાધિ છે.
સાધનાના ક્ષેત્રમાં પણ ઉપાધિ, વ્યાધિ અને આધિ ચિત્તના ઉત્સાહને ખંડિત કરે છે, માટે વિઘ્નરૂપ છે. ઉપાધિવગેરેરૂપ આવિન ઉપસ્થિત થવા છતાં ચિત્તવિક્તવ્ય ન થવા દેનાર ચિત્તપરિણતિઓ ક્રમશઃ જઘન્યવિજય, મધ્યમવિધ્વજય અને ઉત્કૃષ્ટવિબજ્ય આશય છે. વિધ્વજય આશયના આ ત્રણ ભેદો માત્રાની અપેક્ષાએ નથી, પણ પ્રકારની અપેક્ષાઓ છે, જેમ શ્રુતજ્ઞાનના અક્ષરધૃત-અનક્ષશ્રુત વગેરે ભેદો પ્રકારની અપેક્ષાએ છે તેમ. એટલેજ ઉત્કૃષ્ટ કે મધ્યમવિનય આશય કેળવાયો [30]
યોગવિંશિકા...૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org