________________
શ્રી અર્જુ નમઃ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી મહાવીર સ્વામિને નમઃ
શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ- ધર્મજિ-જયોખર સૂરીશેભ્યો નમઃ
મેં નમઃ
યોગવિંશિકા
૧૪૪૪ ગ્રન્થોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જુદા-જુદા ૨ ૦ વિષયો પર ૨ ૦ - ૨૦ શ્લોક પ્રમાણ એક-એક વિંશિકા... એવી ૨૦ વિશિકાઓનું વિંશતિવિંશિકા નામે પ્રકરણ લખ્યું છે. એમાંની યોગવિષયક વિંશિકા એટલે યોગવિંશિકા. માત્ર ૨૦ ગાથાના આ પ્રકરણમાં તેઓશ્રીએ યોગમાર્ગનો નિચોડ ઠાલવી દીધો છે જેનો હૃદયંગમ ને સ્પષ્ટબોધપ્રદ ઉઘાડ કર્યો છે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે. તેઓશ્રીની વૃત્તિના વચનોને-શબ્દોને આધારે આપણે પણ યોગમાર્ગને પિછાણવાની ને એને આરાધવાની યાત્રાનો પ્રારંભ કરીએ.
ऐं नमः । अथ योगविंशिका व्याख्यायते
मुक्खेण जोयणाओ जोगो सव्वोवि धम्मवावारो । परिसुद्धो वित्रेओ ठाणाइगओ विसेसेण ॥ १ ॥
વૃત્તિઅર્થ : એ નમઃ। હવે યોગવિંશિકાની વ્યાખ્યા કરવામાં આવે છે.
ગાથાર્થ : પરિશુદ્ધ બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષની સાથે જોડી આપનારો હોવાથી ‘યોગ’ છે. સ્થાનાદિગત ધર્મવ્યાપાર વિશેષ રીતે ‘યોગ’કહેવાય છે.
વિવેચન : એં એ સરસ્વતીમંત્ર બીજાક્ષર છે. વૃત્તિકાર શ્રી યશોવિજયજી મહારાજે મા સરસ્વતીની કૃપા મેળવી હતી આ મંત્રાક્ષરના જાપ દ્વારા. તેથી તેઓશ્રી પોતાના પ્રત્યેક ગ્રન્થના પ્રારંભે એનું સ્મરણ કરે છે.
‘અથ’ શબ્દ મંગળ સ્વરૂપ છે. તેમજ પૂર્વની વિંશિકાની વ્યાખ્યાના અનુસંધાન માટે છે. ઉપાધ્યાયજી મહારાજે મંગળબ્લોક મૂક્યો નથી. તેમજ આ
ભૂમિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org