________________
અથ શબ્દ મૂક્યો છે. તેનાથી તેમજ અંતે વિશિષ્ઠાપ્રજાર વ્યારણ્યાયાં એવું જે કહ્યું છે એનાથી જણાય છે કે તેઓશ્રીએ અન્ય વિશિકાઓની પણ વ્યાખ્યા કરી હશે જે આપણા દુર્ભાગ્યે હાલ ઉપલબ્ધ નથી.
(પૃ.) મુàત્તિ 'મોક્ષેા = મહાનન્દેન યોગનાત્ સર્વાષિ ધર્મવ્યાપાર:'साधोरालयविहारभाषाविनयभिक्षाटनादिक्रियारूपो योगो विज्ञेयः, 'योजनाद्योग:' इति व्युत्पत्त्यर्थानुगृहीतमोक्षकारणीभूतात्मव्यापारत्वरूपयोगलक्षणस्य सर्वत्र घटमानत्वात् ।
વૃત્તિઅર્થ : 'મોક્ષ એટલે મહાઆનન્દ. એની સાથે (જીવને) જોડી આપનાર હોવાથી, સાધુની આલય-વિહાર-ભાષા-વિનય-ભિક્ષાટન વગેરે ક્રિયા રૂપ બધો જ ધર્મવ્યાપાર એ ‘યોગ’ છે, એમ જાણવું. કારણકે સર્વત્ર (=આલય-વિહારાદિ બધી ક્રિયામાં) ‘યોગ’ શબ્દનો ‘જે યોજી (=જોડી) આપે તે યોગ’ એવો જે વ્યુત્પત્તિઅર્થ છે તેનાથી અનુગૃહીત એવું જે યોગનું લક્ષણ તે ઘટી જાય છે. અહીં, ‘મોક્ષનું કારણ બનનાર આત્મવ્યાપારમાં રહેલ આત્મવ્યાપારત્વ’ એ યોગનું લક્ષણ જાણવું.
વિવેચન : આલય-વિહાર વગેરે બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનાર હોવાથી ‘યોગ’ છે. આમાં (૧) મોક્ષ શબ્દ ‘મુ’ ધાતુ પરથી બન્યો હોવાથી એનો અર્થ થાય છે ઃ ‘છૂટકારો’. આત્મા પર ચોટેલા પુદ્ગલસ્વરૂપ દ્રવ્યકર્મથી અને રાગ-દ્વેષાદિ સ્વરૂપ ભાવકર્મથી આત્માનો છૂટકારો થવો એ મોક્ષ છે. તેમ છતાં, વૃત્તિકારે ‘મોક્ષ’ શબ્દનો અર્થ ‘છૂટકારો’ એવો ન કરતાં ‘મહાઆનન્દ’ એવો કર્યો છે. એની પાછળ બે કારણો જણાય છે. (અ) છૂટકારો એ વિયોગસ્વરૂપ છે. તેથી વિયોગ સાથે યોગ શું ? એવો પ્રશ્ન થાય. મહાઆનન્દ તો ભાવાત્મક હોવાથી એની સાથે યોગ અસંગત નથી. (બ) કેટલાક દર્શનકારો નિર્ગુણમુક્તિ માનતા હોવાથી મોક્ષમાં સુ પણ માનતા નથી. એમનું નિરાકરણ કરવા માટે મોક્ષને મહાઆનન્દમય જણાવ્યો છે. નહીંતર તો, મોક્ષમાં સુખ જ ન હોવાથી, ન એનું આકર્ષણ જાગે કે ન એના ઉપાયભૂત ‘યોગ’ નું આકર્ષણ જાગે... અને તો તો આ ગ્રન્થ સર્જનનો બધો પ્રયાસ નિષ્ફળ બની જાય. સુખથી શૂન્ય એવા મોક્ષની તો કેટલાક દ્વારા હાંસી પણ ઉડાડવામાં આવી છે. મોક્ષ ‘મહાઆનંદ’ રૂપ હોવામાં આવો કોઈ પ્રશ્ન રહેતો નથી.
(૨) પ્રણિધાન વગેરે આશય પૂર્વકની આલય-વિહારાદિ ક્રિયા યોગ અને
યોગવિંશિકા...૧
2
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org