SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારોમાં જવાનું નથી.' વગેરે રીતે સજ્જ કરી દેવાથી યત્નાતિશય લાવી શકાય છે. વિવક્ષિત ક્રિયાથી થનાર આત્મહિતની કમાણીને વારંવાર યાદ કરવાથી પણ એ પ્રત્યેનો આદર વધવા દ્વારા યત્નાતિશય આવે છે. ઇતિકર્તવ્યતાશુદ્ધિ ન હોય કે ઔત્સુક્યાદિ દોષ હોય તો પ્રયત્નમાં અતિશય આવી શકતો નથી. ને તેથી યત્નાતિશયના કારણે ચિત્તની જેસ્થિરપરિણતિ – એકાગ્રતા પ્રગટવી જોઇએ એ પ્રગટતી નથી. દ્વાત્રિંરાદ્ દ્વાત્રિંશિકા ગ્રન્થમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે તો પ્રકૃતસ્થાનમાં યત્નાતિશયથી ઉત્પન્ન થયેલી અને અધિક યત્નાતિશયને ઉત્પન્ન કરનારી, અન્યાભિલાષ રહિત એવી ચિત્તની સ્થિર પરિણતિને જ પ્રવૃત્તિઆરાય તરીકે જણાવેલી છે. યત્નાતિરાયથી એકાગ્રતા આવે છે ને એકાગ્રતાથી યત્નાતિશય વધે છે. એમ ઉત્તરોત્તર બન્ને વધતા જાય છે. સામાન્યથી પ્રયત્નપૂર્વક થયેલી પ્રશસ્તપ્રવૃત્તિ આદર-એકાગ્રતાદ્વારા ક્ષયોપામ વધારે છે ને પછી એ ક્ષયોપરામ વધારે ઊંચી પ્રવૃત્તિ કરાવે છે જે વધારે ઊંચો ક્ષયોપશમ પ્રગટાવે છે. આમ ઉત્તરોત્તર ચાલે છે. એનાથી વિપરીત, ઇચ્છાપૂર્વક કરાયેલી અપ્રશસ્તપ્રવૃત્તિ, પૂર્વે થયેલા ક્ષયોપરામને આવરે છે, ને ઔયિકભાવને વધારે છે. ને વધેલો એ ઔદિયકભાવ પાછો અપ્રશસ્તપ્રવૃત્તિ વધારે છે. એમ ઉત્તરોત્તર બન્ને વધતા જાય છે, ને ક્ષયોપામ તો ક્યાંય આવરાઇ જાય છે. જેમકે ચંડકૌશિક સર્પના જીવનો ક્રોધ... જેમ ઔત્સુક્સ વગેરે દોષ યત્નાતિશયના અને એકાગ્રતાના બાધક છે એમ અન્યાભિલાષ પણ બાધક છે. વિરુદ્ધ અભિલાષ અને સ્વપક્ષીય અન્યાભિલાષ આ બન્ને અહીં ‘અન્યાભિલાષ’ તરીકે અભિપ્રેત છે. માટે અન્યાભિલાષ ટાળવો. વળી, અન્યાભિલાષની જેમ વિક્ષેપને ટાળવો પણ આવશ્યક હોય છે, કારણકે એ પણ યત્નાતિશય તથા એકાગ્રતાનો બાધક બનવા દ્વારા ક્ષયોપશમનો નારાક બની શકે છે. એક કલાક નિરંતર સ્વાધ્યાય કરનારો વચ્ચે કોઇ આવ્યુંને નિષ્કારણ પાંચ મિનીટ ગપ્પાં મારી દે તો સ્વાધ્યાયના પ્રવૃત્તિ આરાયમાં આગળ ન વધી શકે. વિક્ષેપ ટળે તથા યત્નાતિશય ને એકાગ્રતા કેળવાય એ માટે દસત્રિકમાં નિસિહી ત્રિક. દિશાત્યાગત્રિક વગેરે છે. 26 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા...૧ www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy