________________
फलादावप्रणिहितमनस: एतद् = अनुष्ठानं अननुष्ठानं = अनुष्ठानमेव न भवतीत्यर्थः । सम् इति समन्ततः प्रकर्षेण मुग्धं = सन्निपातोपहतस्येवानध्यवसायापन्नं मनोऽस्य इतिः पादसमाप्तौ। यत एवं ततो' (एतद्) यथोदितं तथैव ।।
વૃત્તિઅર્થ (યોગબિન્દુના ૧૫૦મા શ્લોકનો અર્થ ) અનાભોગવાળા જીવનું આ = અનુષ્ઠાન અનનુષ્ઠાન કહેવાય છે. એનું મન પ્રમુગ્ધ હોય છે. તેથી આ જેવું કહ્યું એવું જ છે. (આની વૃત્તિનો અર્થ-) અનાભોગવાળા = જેના મનમાં કોઈપણ ફળનું પ્રણિધાન નથી એનું અનુષ્ઠાન અનનુષ્ઠાન કહેવાય છે. અર્થાત્ એ અનુષ્ઠાનરૂપ હોતું જ નથી. સમ્ = ચારેબાજુથી પ્ર = પ્રકર્ષથી જેનું મન મુગ્ધ થયું છે, અર્થાત્ જે સંનિપાતથી ઉપહત છે એની જેમ અનધ્યવસાયાપત્ર જેનું મન છે, એનું અનુષ્ઠાન અનનુષ્ઠાન જાણવું. ‘ઇતિ શબ્દસમાપ્તિને જણાવે છે. આવું હોવાથી આજે પ્રમાણે કહ્યું તેવું જ છે.
વિવેચનઃ અનુષ્ઠાન દ્વારા શું મેળવવું છે એનું કશું જ પ્રણિધાન ન બાંધ્યું હોય એવો જીવ એ અનાભોગવાળો જીવ. આવા જીવનું અનુષ્ઠાન અનનુષ્ઠાન જ નીવડે છે. આવા જીવનું મન સંપ્રમુગ્ધ હોય છે. એમાં સમ્ = સમન્તતઃ = બધી બાજુથી... પ્ર= પ્રકર્ષણ... મુગ્ધ = સન્નિપાત લાગુ પડેલાજીવનું મન જેમ અનધ્યવસાયાપન્ન હોય છે એમ આવા જીવનું મન પણ ફળાદિના વિચારશૂન્ય હોય છે. પ્રણિધાનની તીવ્રતા પ્રવૃત્તિમાં ચોકસાઈ લાવનારી હોય છે. આને પ્રણિધાન જ નથી, એટલે અનુષ્ઠાનની અન્તર્ગત પેટા પ્રવૃત્તિઓ થાય ન થાય. આઘી પાછી થાય... ઓછી-વત્તી થાય... ક્યારેક આખી પ્રવૃત્તિ જ ન થાય.. આવું બધું સંભવિત છે. માટે એના અનુષ્ઠાનને યથોદિત જે પ્રમાણે અનનુષ્ઠાન કહ્યું. તે પ્રમાણે જ છે. અર્થાત્ એ વસ્તુતઃ ફળશૂન્ય હોવાથી અનનુષ્ઠાન જ છે. માત્ર ગતાનુગતિકતાથી કે શૂન્યમનસ્કપણે કરાતું અનુષ્ઠાન આવું હોય છે.
પ્રશ્ન: સદનુષ્ઠાનરાગ હોવા છતાં ક્યારેક, આજીવિકા અંગેની વિષમતા વગેરે કારણે ચિત્તની વ્યગ્રતા હોય તો અનુષ્ઠાનમાં માનસોપયોગ રહેતો નથી. એમ
ક્યારેક પ્રમાદના કારણે પણ માનસોપયોગ હોતો નથી. તેમ છતાં, પ્રતિકમણ ક્ય વિના તો કેમ રહેવાય? પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ... સદનુષ્ઠાનરાગપ્રયુક્ત આવી લગનના કારણે પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન કરે તો છે જ.) તો આવા અનુષ્ઠાનને શેમાં (156)
યોગવિંશિકા.......૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org