________________
માટે પ્રણિધાનાદિ આશયોથી યુક્ત ધર્મવ્યાપાર એ યોગ’ છે એ પ્રમાણે કહેલી વાત સંગત કરે છે, અને જે મોક્ષની અભિલાષી છે એને ધર્મક્રિયા કરવા સાથે પ્રણિધાનાદિ કેળવવા માટે વિશેષ પ્રયત્નશીલ બનવું જોઇએ એવી સબ્રેરણા કરે
(બત્રીશીમાં ઉપાધ્યાયજી મહારાજે પુષ્ટિ: પુષ્કોપર:’ એમ ન કહેતાં પુષ્ટિય: એમ કહ્યું છે. એમાં પુષ્ટિ' નો અર્થ તે તે કાર્યની સ્થિરતા-વૃદ્ધિ એવો પણ કરી શકાય. એ વખતે શુદ્ધિ એટલે કાર્યનું વૈશિષ્ટચે એવો અર્થ મળી શકે. અર્થાત્ તે તે ધર્મસ્થાનના આસેવનના પ્રમાણમાં વધારો એ પુષ્ટિ અને ગુણવત્તામાં વધારો એ શુદ્ધિ એવો અર્થ મળે.)
यद्यप्येवं निश्चयतः परिशुद्धः सर्वोऽपि धर्मव्यापारो योगः, तथापि विशेषेण = तान्त्रिकसङ्केतव्यवहारकृतेनासाधारण्येन स्थानादिगत एव धर्मव्यापारो योगः, स्थानाधन्यतम एव योगपदप्रवृत्तेः सम्मतत्वादिति भावः ॥ १॥
વૃત્તિઅર્થ જો કે આ રીતે નિશ્ચયથી પરિશુદ્ધ બધો જ ધર્મવ્યાપાર એ યોગ છે. તો પણ વિશેષરૂપેeતાન્ત્રિકોએ કરેલા સંકેતવ્યવહારથી થયેલા અસાધારણ વિશેષરૂપે સ્થાનાદિમાં વણાયેલો ધર્મવ્યાપાર જ યોગ છે, કારણકે સ્થાનાદિ અન્યતમમાં જ યોગ પદનો પ્રયોગ કરવો એવું તાત્રિકોને સંમત છે. (યોગવિંશિકાની પ્રથમ કારિકાના ઉત્તરાર્ધનો) આ પ્રમાણે ભાવ જાણવો. / ૧
વિવેચનઃ (૧) શબ્દ પ્રયોગ કરવામાં નિશ્ચય અને વ્યવહાર અલગ પડે છે. દવા આપી રોગ મટાડે એ બધા નિશ્ચયનયે ડૉક્ટર છે. પણ વ્યવહાર નય તો ડીગ્રીધારી જે હોય એને જ ડૉકટર કહે છે. તથા પાપ થવા પર તીવ્ર પશ્ચાત્તાપ થાય, અને એના દ્વારા આત્માને અશુભભાવમાંથી પુનઃ શુભભાવમાં જોડી દેવાય, તો નિશ્ચયનય એને પ્રતિક્રમણ તરીકે માન્ય કરે છે. પણ વ્યવહારનય તો ષડાવશ્યક બનાવ્યા હોય તો જ એનો પ્રતિક્રમણ તરીકે ઉલ્લેખ કરે છે, અન્યથા નહીં, કારણકે વ્યવહારે પ્રતિક્રમણ એટલે ૬ આવશ્યક એવો સંકેત કર્યો છે.
એમ પ્રસ્તુતમાં, પરિશુદ્ધ એવો આલય-વિહારાદિ કોઈ પણ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપતો હોવાથી નિશ્ચયનયને યોગ તરીકે સ્વીકૃત છે. પણ
( 56)
યોગવિંશિકા....૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org