________________
અભિપ્રાયથી કહ્યું છે એ ધ્યાનમાં રાખવું. આ પાંચમાં સ્થાન અને ઊર્ણ રૂપ બે યોગો કર્મયોગ જ છે, કારણ કે સ્થાન તો સાક્ષાત્ ક્રિયારૂપ છે જ. અને ઊર્ણ તરીકે પણ ઉચ્ચારાતા વર્ણનું જ ગ્રહણ છે, જે પણ ઉચ્ચારણ અંશમાં ક્રિયારૂપ છે જ. તથા અર્થયોગ, આલંબનયોગ અને નિરાલંબનયોગ સ્વરૂપ પાછળની યોગત્રિક જ્ઞાનયોગ જ છે, કારણકે અર્થ વગેરે સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ છે. ગાથામાં જે ‘તુ’ શબ્દ છે તે ‘એવ’ કારના (જકારના) અર્થમાં છે. તેથી (આ યોગત્રિક) જ્ઞાનયોગ જ છે એવો અર્થ પ્રાપ્ત થાય છે.
વિવેચન : (૧) પોડરાજીની પૂ.આ. શ્રી યશોભદ્રસૂરિ મહારાજ વિરચિત વૃત્તિમાં એમ કહ્યું છે કે, ષોડશજી મૂળમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે સ્થાનાદિને યોગરૂપે જે કહ્યા છે તે ઉપચારથી કહ્યા છે, કારણકે સ્થાનાદિ સ્વયં ‘યોગ’ નથી. પણ યોગાંગ છે. મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે પોડશજીની વૃત્તિમાં અને પ્રસ્તુત વિંશિકાની વૃત્તિમાં પણ એમ જણાવ્યું છે કે – શ્રી હરિભદ્રસૂરિ મહારાજે સ્થાનાદિને અનુપચરિતપણે ‘યોગ’ તરીકે કહ્યા છે, કારણકે એ સ્વયં ‘યોગ’ રૂપ છે જ. આ બેના વિરોધનો પરિહાર ઉપાધ્યાયજી મહારાજ બતાવી રહ્યા છે. તે આ પ્રમાણે – શ્રી યશોભદ્રસૂરિ મહારાજે ‘ચિત્તવૃત્તિનિરોધ એ યોગ’ આવી વ્યાખ્યાને નજરમાં રાખી છે. સ્થાનાદિ સ્વયં તો ચિત્તવૃત્તિનિરોધ સ્વરૂપ નથી, માટે ‘યોગ’ નથી જ. છતાં એનું કારણ તો છે જ, માટે, એનો ‘યોગ’ તરીકેનો ઉલ્લેખ ‘ઉપચરિત’ હોય શકે, ‘અનુપચરિત’ નહીં. ઉપાધ્યાયજી મહારાજે ‘મોક્ષકારણીભૂત આત્મવ્યાપાર એ યોગ’ એવી વ્યાખ્યાને નજરમાં રાખી છે. સ્થાનાદિ પણ મોક્ષકારણીભૂત આત્મવ્યાપાર સ્વરૂપ તો છે જ. માટે સ્વયં યોગ હોવાથી અનુપચરિતપણે ‘યોગ’
છે.
(૨) ઉચ્ચાર્યમાણ વર્ણ (=શબ્દ) પૌદ્ગલિક હોવાથી ‘દ્રવ્ય’રૂપ છે, ક્રિયા રૂપ નથી. ઉપયોગપૂર્વક સૂત્ર બોલાય છે... પણ એમાં ઉપયોગ જ્ઞાનાત્મક હોવાથી એ પણ ક્રિયારૂપ નથી... પણ સૂત્રનો ઉચ્ચાર કરવા રૂપ ઉચ્ચારણક્રિયા તો ક્રિયારૂપ છે જ. એટલે ઉચ્ચાર્યમાણ વર્તાત્મક ઊર્ણયોગના ‘ઉચ્ચારણ’ અંશને નજરમાં લઇને એને ક્રિયાયોગ તરીકે કહ્યો છે એ જાણવું.
(૩) યોગદષ્ટિ સમુચ્ચયના ૧૦ મા શ્લોકની વૃત્તિમાં ધર્મસંન્યાસ અંગે આ
યોગવિંશિક....૨
62
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org