________________
અવતરણિકાર્થ : આકર્મયોગ અને જ્ઞાનયોગ કયા જીવને હોય ? એ પ્રમાણે (કર્મયોગ-જ્ઞાનયોગના) સ્વામીની વિચારણા અંગે ગ્રન્થકાર કહે છે -
ગાથાર્થ : આ (સ્થાનાદિ પાંચ પ્રકારનો યોગ) નિયમા દેશચારિત્રી અને સર્વચારિત્રીને જ હોય છે. એ સિવાયના જીવોને (અપુનર્બન્ધક-તથા અવિરત સમ્યગ્દષ્ટિજીવોને) આ કારણથી જ (-દેશ-સર્વવિરતિ ન હોવાથી જ) (યોગ હોતો નથી, પણ યોગનું) બીજ માત્ર જ હોય છે. કેટલાક (=વ્યવહારનયપ્રધાન દષ્ટિવાળા) આ બીજમાત્રને ‘યોગ’ તરીકે ઇચ્છે છે = સ્વીકારે છે.
देसे सव्वे यत्ति । सप्तम्याः पञ्चम्यर्थत्वाद् देशतस्तथा सर्वतश्च चारित्रिण एव 'एषः ' प्रागुक्तः स्थानादिरूपो योगः नियमेन=इतरव्यवच्छेदलक्षणेन निश्चयेन भवति, क्रियारूपस्य (ज्ञानरूपस्य) 'वाऽस्य चारित्रमोहक्षयोपशमनान्तरीयकत्वात्' । अत एवाध्यात्मादियोगप्रवृत्तिरपि चारित्रप्राप्तिमारभ्यैव ग्रन्थकृता योगबिन्दौ प्ररूपिता । तथाहि
देशादिभेदतश्चित्रमिदं चोक्तं महात्मभिः ।
अत्र पूर्वोदितो योगोऽध्यात्मादि संप्रवर्तते ॥ ३५७ ॥ इति । વૈશાવિમેવતઃ = વેશ-સર્વવિશેષાત્ વ = ચરિત્રમ્ અધ્યાત્માવિઃ = અધ્યાત્મ, ભાવના, આધ્યાનં, સમતા, વૃત્તિસંક્ષયગ્ર।
વૃત્તિઅર્થ : (કારિકામાં દેશે અને સબ્વે આ બે શબ્દોમાં રહેલી) સપ્તમી વિભક્તિ પંચમી વિભક્તિના અર્થવાળી હોવાથી ‘દેશથી’ અને ‘સર્વથી’ એવો અર્થ પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત સ્થાનાદિયોગ નિયમા દેશથી ચારિત્રી (=દેશવિરત-શ્રાવક) અને સર્વથી ચારિત્રી (સર્વવિરત-સાધુ) ને જ હોય છે. અહીં નિયમ એટલે ઇતરવ્યવચ્છેદસ્વરૂપ નિશ્ચય. અર્થાત્ ઇતરને દેશવિરતથી અને સર્વવિરતથી ભિન્નજીવને સ્થાનાદિ યોગ ન જ હોય એવો નિશ્ચય. અપુનર્બન્ધક વગેરે રૂપ ઇતરને યોગ જે હોતો જ નથી એમાં કારણ એ છે કે ક્રિયારૂપ (સ્થાન-ઊર્ણયોગ) કે જ્ઞાનરૂપ (અર્થ વગેરે ત્રણ) યોગ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપરામને નાન્તરીયક હોય છે. એટલે જ અધ્યાત્માદિ યોગપ્રવૃત્તિ પણ ચારિત્રપ્રાપ્તિથી જ આરંભાય છે એ પ્રમાણે ગ્રન્થકારે શ્રીયોગબિન્દુમાં કહ્યું છે. તે આ પ્રમાણે - આ-ચારિત્ર કેશાદિભેકે ચિત્ર=અનેક ભેદવાળું છે એ પ્રમાણે મહાત્માઓએ કહ્યું છે. આ ચારિત્ર પ્રાપ્ત થયે પૂર્વે કહેવાઇ ગયેલો અધ્યાત્માદિ યોગ સંપ્રવૃત્ત થાય છે. (યોગબિન્દુના આ શ્લોક્ના કેટલાક
9.
64
યોગવિંશિકા....૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org