________________
હોય ત્યારે પણ વિવક્ષિત ધર્મસ્થાનની બાધક પરિસ્થિતિ જો નિર્માણ થાય તો એ જીવને તરત ચેતવે છે. આશય એ છે કે સ્વાધ્યાયના અવસરે ‘મારે અહિંસા કેળવવાની છે’ એ માટે પૂંજવા પ્રમાર્જવાનું ચૂકવું ન જોઇએ...’ વગેરે કે ‘મારે ક્ષમા સાધવાની છે’ ‘એ માટે ક્રોધ કરાય નહીં...' વગેરે ઉપયોગ તો હોતો નથી (કારણ કે ઉપયોગ સ્વાધ્યાયમાં છે). તો કોઇ ચીજ લેવા-મૂકવાનો પ્રસંગ આવે ત્યારે પૂંજવા-પ્રમાર્જવાની યાદ કે ક્રોધનું નિમિત્ત મળે ત્યારે ક્રોધનિરોધ કરવાની યાદ કોણ આપે ? ને જો એ યાદ ન આવે તો તો અનાદિસંસ્કારવશાત્ વગર પૂંજ્યું-પ્રમાર્થે વસ્તુની લે–મૂક કે ક્રોધાદિ જ થઈ જાય. ને તો તો અહિંસા-ક્ષમા વગેરેમાં આગેકૂચને બદલે પીછેહઠ જ થઈ જાય. પણ આવું બનતું નથી. ઉપયોગ ભલે અન્યત્ર હોય, પ્રણિધાન સાધકને યાદ આપી જ દે છે કે “જો જે પૂંજ્યા વિના લે-મૂક ન કરીશ’... ‘જો જે ક્રોધ ન થઈ જાય...’ અને તેથી અહિંસા-ક્ષમા વગેરેની સાધના વણથંભી આગળ વધતી રહે છે. આમ આ પ્રણિધાનના પ્રભાવે જ એક સાથે અનેક સાધના સાધક માટે શક્ય બને છે.
ન
જયણા વગેરે રૂપ અહિંસાની પ્રવૃત્તિકાળે તો ઉપયોગ હોવાથી અલ્પક્ષયોપશમે પણ અહિંસાની પ્રવૃત્તિ(=અહિંસાની સાધક હોય એવી પ્રવૃત્તિ ને બાધક હોય એનાથી નિવૃત્તિ) થાય છે. પણ જ્યારે અન્યત્ર ઉપયોગ હોય ત્યારે, વિપરીત પરિસ્થિતિ નિર્માણ થવા પર તરત સાવધાની આપનાર વિશિષ્ટક્ષયોપશમને આ પ્રણિધાન જ કેળવી આપે છે. પેંડાની બાધા લીધા પછી, બે-ચાર મહિના બાદ અચાનક ખાવાનો પ્રસંગ આવવા પર ‘મારે બાધા છે’ આ યાદ, વિશિષ્ટ ક્ષયોપશમ વિના આવે નહીં, ને પેંડો ખવાઈ જાય એવું બની શકે છે. આવો વિશિષ્ટ ક્ષયોપશમ, બાધા લેતી વખતે કરેલા દઢસંકલ્પથી કે બાધા લીધા બાદ વારંવાર એને યાદ કરવાથીટૂંકમાં દઢપ્રણિધાન ઊભું કરવાથી-થાય છે. માટે સાધકે, પોતે જે જે સાધના કરવી છે એને વારંવાર યાદ કરવી જોઇએ. સાધુઓને રોજ નવવાર કરેમિ ભંતે! ને પાક્ષિક પ્રતિક્રમણમાં મહાવ્રતોનું ઉચ્ચારણ જે કરવાનું હોય છે તેની પાછળ આ પણ એક મહત્ત્વનું કારણ છે. માટે પચ્ચકખાણ-અભિગ્રહ-વ્રત-નિયમને વારંવાર યાદ કરવાનું શાસ્ત્રમાં ‘પાલિયં’ શબ્દથી જણાવ્યું છે.
પ્રણિધાનનો પ્રભાવ -
(૧) ઉપરોક્ત વિશિષ્ટ ક્ષયોપામ પેદા થવો ને એના પ્રભાવે એક સાથે
પ્રણિધાનનો પ્રભાવ
Jain Education International
For Private & Personal Use Only
17
www.jainelibrary.org