________________
કેળવાવાનો શરુ થઇ જાય, જે કેળવાતા કેળવાતા દઢતાને ને પ્રકૃષ્ટતાને પામે છે.
આ જ કારણે પ્રસ્તુત શ્રી યોગવિંશિકા-ષોડશક વગેરે પ્રકરણોમાં પ્રણિધાન આશયની જે વ્યાખ્યા આપી છે તેમાં મોક્ષના પ્રણિધાનનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો નથી. ને સાક્ષાત્ તો માત્ર અહિંસા વગેરે ધર્મસ્થાનનો કર્તવ્યતાઉપયોગ (દઢસંકલ્પ) જ જણાવ્યો છે ને એના દ્વારા એને કેળવવા પર સાધકે જોર આપવું એમ સૂચન કર્યું છે. (નિરતિચાર સંયમપાલન કરનાર અભવ્યાદિને પણ અહિંસાદિનો-ક્ષમા વગેરે યતિધર્મોનો-સમિતિપાલનાદિનો દૃઢસંકલ્પ હોય છે, પણ એ નવમગ્રેવેયકાદિ કોઇક ને કોઇક ભૌતિક અવસ્થાની પ્રાપ્તિના કારણ તરીકે જ હોય છે. અર્થાત ભૌતિક સંકલ્પમૂલક જ હોય છે. અને તેથી, એ ‘પ્રણિધાન’ આશયરૂપ બની ધર્મક્રિયાને યોગમાં રૂપાંતરિત કરી શકતો નથી.) માટે સાધકે અહિંસાદિના સંકલ્પને મોક્ષસંકલ્પમૂલક બનાવવા કે નિરુપાધિક બનાવવા પર પણ ધ્યાન આપવું આવશ્યક છે.
મોક્ષ વગેરેનો દસંકલ્પ સહુ પ્રથમવાર થાય ત્યારે એ મતિજ્ઞાનના મનોજન્ય અપાય (નિર્ણય) નામના ભેઠમાં સમાવિષ્ટ થાય છે. પછી એ જ વખતે... ‘બસ હવે તો મારે આ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું જ છે’ એ રીતે એને તત્કાળ ઘુંટવામાં આવે એ મનોજન્ય ધારણાનો અવિચ્યુતિ નામે ભેદ છે... વળી કાળાન્તરે ઉપયોગ મૂકે ત્યારે આ સંકલ્પ યાદ આવે એ ધારણાનો સ્મૃતિ નામે ભેદ છે. આ બધો સંકલ્પ ઉપયોગાત્મક છે, પણ એ ક્વચિત્ ક્વચિત્ હોય છે (કારણ કે ઉપયોગ તો પરિસ્થિતિ વગેરે વશાત્ બદલાયા કરતો હોય છે. ) મુખ્યતયા તો આ અવિચ્યુતિથી ઉત્પન્ન થયેલો ને સ્મૃતિના કારણભૂત એવો ધારણાનો સંસ્કાર (વાસના) નામનો ભેદ એ ‘પ્રણિધાન’ છે એ જાણવું. અર્થાત્ એ મતિજ્ઞાનાવરણના ક્ષયોપરામ સ્વરૂપ છે. (પણ, આ ઉપયોગ કે સંસ્કારરૂપે રહેતા સંકલ્પમાં પૌદ્ગલિક ઉપાધિ ઘુસી ન જાય એ માટે દર્શનમોહનીયનો ક્ષયોપરામ પણ આવશ્યક છે એ જાણવું. કારણ કે દર્શનમોહનીયના ઉદયથી થયેલી ‘સુખ તો પૌદ્ગલિક જ હોય’ આવી ગાઢ માન્યતા જીવના કોઇપણ સંકલ્પને–અનુષ્ઠાનને ચોંટી જ જાય છે. અને એને સોપાધિક બનાવી જ દે છે. એને નિરુપાધિક બનાવવા આ ગાઢ માન્યતા ખસવી જોઇએ જે દર્શનમોહનીય મંદ પડ્યા વિના સંભવિત નથી.)
સંસ્કારરૂપે રહેલા આ પ્રણિધાનનો જ પ્રભાવ છે કે જ્યારે અન્યત્ર ઉપયોગ
યોગવિંશિકા...૧
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org