________________
અર્થ હોય (યથાશ્રુત અર્થ હોય) તે પદાર્થ કહેવાય છે. આવા અનેક પદના પદાર્થ મળવા પર એનું પરસ્પર અનુસન્ધાન થાય – એના પર ઊહાપોહ થાય-ત્યારે કંઇક શંકાઓ ઉભી થાય છે. આ શંકાઓને જિજ્ઞાસુભાવે વ્યક્ત કરતું વાક્ય એ વાક્યાર્થ (ચાલના) કહેવાય છે. શંકા સંપૂર્ણતયા નિર્મૂળ થઈ જાય એ રીતે ગુરુ એનું સમાધાન આપે છે. આ સમાધાનવાક્ય એ મહાવાક્યાર્થ (પ્રત્યવસ્થાન) છે. આવું સમાધાન વાસ્તવિક સમાધાનરૂપ જે બને છે એમાં ખરું રહસ્ય ‘જિનાજ્ઞા એ જ ધર્મમાં રહેલું સારભૂત તત્ત્વ છે’ આ નિર્ણય છે. આવા તાત્પર્યનો નિર્ણય કરવો એ એકમ્પર્યાર્થ છે. ‘ન હિંસ્યાત્ સર્વભૂતાનિ’ વગેરે સૂત્રવાક્યો લઇને આ પદાર્થ-વાક્યાર્થ વગેરેની છણાવટ શ્રી ઉપદેશપદ ગ્રન્થમાં કરી છે [અહીં વૃત્તિની પંક્તિમાં પદ-વાક્ય-મહાવાક્ય અને ઐકંપર્ય આ ચાર પદોનો દ્વન્દ્વ સમાસ ફરી એને ‘અર્થ’ પદ જોડેલ છે. તેથી દ્વન્દ્વની આદિમાં કે અન્તે શ્રૃયમાણ પદ (જો તેવી વિવક્ષા હોય તો) દ્વન્દ્વસમાસગત પ્રત્યેક પદને લાગુ પડે છે એ ન્યાયે ‘અર્થ’ શબ્દ ‘પદ’ વગેરે દરેકને લગાડવો... તેથી પદાર્થવાક્યાર્થ... વગેરે શબ્દો મળશે.] ક્રિયાના આસ્તિક્યવાળો સાધક સદા પ્રયત્નતત્પર હોય છે. એટલે સ્વર-સંપદા-માત્રા વગેરેની શુદ્ધિ જળવાઈ રહે એ પ્રમાણે સૂત્રનો ઉચ્ચાર થતો રહે એમ જીભને કેળવે છે, એવી રીતે જેમ જેમ સૂત્રોચ્ચાર થતો જાય તેમ તેમ આવશ્યક પદાર્થ - વાક્યાર્થ વગેરે ઉપસ્થિત થયા કરે ને સર્વત્ર ચૈકં પર્યાર્થ તરીકે જિનાજ્ઞા ભાસ્યા કરે એ રીતે પોતાના મનને (ઉપયોગને) કેળવતો જાય છે. વારંવાર અભ્યાસના કારણે પોતાની એવી કેળવણી કરે છે કે હવે સૂત્ર બોલાતું જાય ને સાથે ઐકંપર્યાર્થ સુધીનો અર્થ પણ મનમાં ચાલતો જાય... ઐઠંપર્યાર્થ સુધીનો આ જ્ઞાનોપયોગ એ અર્થયોગ છે.
-
શંકા - જેમ જેમ સૂત્રોચ્ચાર થતો જાય તેમ તેમ મનમાં પડે- પદે એક સાથે પદાર્થ-વાક્યાર્થ વગેરે બધું જ ચાલતું જાય આવું શી રીતે માની શકાય ?
સમાધાન - તો પછી એવું માનવું જોઇએ કે પદાર્થ તો પડે- પદે વ્યક્તરૂપેઉપયોગરૂપે ચાલે.. વાક્યાર્થ-મહાવાક્યાર્થજિજ્ઞાસાદિને અનુસરીને જ્યાં આવશ્યક્તા હોય ત્યાં વ્યક્તરૂપે ઉપસ્થિત થાય. જ્યાં આવશ્યક્તા ન હોય ત્યાં વ્યક્તરૂપે ભલે એ ઉપસ્થિત ન થાય, પણ યોગ્યતારૂપે-સંસ્કારરૂપે તો એ રહેલ હોય જ.
શંકા - ઉપયોગરૂપે જો વાક્યાર્થ વગેરે ઉપસ્થિત ન થતા હોય તો એ
પદાર્થોદિની વિદ્યમાનતા
Jain Education International
For Private & Personal Use Only
121
www.jainelibrary.org